જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો)રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Sunday, March 4, 2018

સદગુરુ

સદગુરુની ઓળખ

(રાગ: વીંછી ચડયો રે કમાડ વીંછી રામનો રે)

મનજી સંભાળજો ધરી પ્યાર સત્યના વિચારથી રે

જે હોય સદગુરુના બાળ એને શ્રવણ મનન અધિકાર સત્યના વિચારથી રે

સદગુરુ હોય હજારે એક સત્યના વિચારથી રે

આપે કંઠી ને ફૂંકે કાન, એવા ગુરુ શું કરાવે જ્ઞાન સત્યના વિચારથી રે

દેહમાં દર્શાવે નિજ નામ સત્યના વિચારથી રે

આત્મા અનુભવમાં જે લાવે, એવા સદગુરુ ઇષ્ટ કહાવે સત્યના વિચારથી રે

ગુરુ એ બાળકનું નહિ કામ સત્યના વિચારથી રે

તન મન માયા ને વળી દામ, સમર્પી પછી ભીડવો હામ સત્યના વિચારથી રે

તારું મૂળ સ્વરૂપ સંભાર્ય સત્યના વિચારથી રે

લાભ ને ખાધ ગુરુની ધાર, મનજી તારો પ્રેમ પગાર સત્યના વિચારથી રે

પ્રેમે ધર્મ સનાતન ધાર સત્યના વિચારથી રે

ચૂંથારામ ગુરુ નીહાળ પ્રેમે પ્રગટ પ્રભુને ભાળ સત્યના વિચારથી રે

-----------------------------------------------------------------------------------

(રાગ: મેરા જૂતા હૈ જાપાની, એ પતલૂન ઇન્ગ્લીશ્તાની...)

ગુરુજી કલ્પતરુનો છોડ, એ છે રંગીલો રણછોડ, એ છે મનડાં કેરો મોર, મારા ચિતડાનો ચોર

 

અનુપમ હીરલો હાથે ચડીયો, કર્મ તણી તે વ્હારી, તીબની બલિહારી

અમુલ્ય વસ્તુ લાધી અમને સેવું શારંગપાણી ..... સેવું શારંગપાણી

તારી મીઠી-મીઠી વાણી, કાશી ગંગા જેવી જાણી....તું છે કાળજડાંની કોર મારા ચિતડાનો ચોર

 

ડગલે-પગલે નમન કરું છું, પરમ પદના વાસી ... પરમ પદના વાસી

ગુણાતીત છો ગુણ ગંભીરા, અક્ષરાતીત અવિનાશી... અક્ષરાતીત અવિનાશી

જય જય અખંડ અંતર્યામી જય જય બળવંતા બહુ નામી, તું છે સતચિત આનંદ છોડ ચૂંથારામ ચરણકમળમાં જોડ

 

ગુરુજી કલ્પતરુનો છોડ, એ છે રંગીલો રણછોડ, એ છે મનડાં કેરો મોર, મારા ચિતડાનો ચોર

-----------------------------------------------------------------------------------

(રાગ: સર પે ટોપી લાલ હાથમે રેશમકા રૂમાલ હો તેરા ક્યા કહેના)

હો સમરથ ગુરુ મહારાજ પ્રભુજી દિલની શી કહું વાત હું દોડી આવ્યો છું

ટાળો મનના તાપ પૂરોને અંતરની અભિલાષ હું દોડી આવ્યો છું

                    હો......દિલમાં વસી છે તારી સુંદર મૂરતી મનોહર મુરતી

અંતરમાં તલસાટ ભર્યો છે મળવા તુંજ ને આજ હું દોડી આવ્યો છું

                    હો......તારી યાદ મુજને પળ-પળ આવે, ભાન ભુલાવે

ઘાયલ હૈયું આજ બન્યું છે કોને કહેવી વાત હું દોડી આવ્યો છું

                    હો......મન મારું ભમતું તુંજ સમીપમાં, તુંજ નજીકમાં

ભૂલ્યો તનનું ભાન, બન્યો છું તારામાં ગુલતાન હું દોડી આવ્યો છું

                    હો......દિલ દ્વાર ખોલી મારાં મન મેલ મેલી, મન મેલ મેલી

શરણે ચૂંથા બાળ ગુરુજી તું છે તારણહાર હું દોડી આવ્યો છું

-----------------------------------------------------------------------------------

(રાગ: તુમ ચલે ગયે પરદેશ.......)

ગુરુ રસિયા પુરણ કામ, ગુણોના ધામ....ગુરુજી અમારા દીનોના તારણહારા

                    હો......ગુરુ જ્ઞાનની ગોળી આપે છે

                              મહા રોગ સમૂળો કાપે છે

હા........રગ રગમાં જ્યોતિ તેજ તણા ધબકારા, દીનોના તારણહારા.......ગુરુ રસિયા પુરણ......(૧)

                    હો......મુક્યું નામનું નસ્તર સુખકારી

                              મારી અંતર વેદના સૌ ટાળી

હા........પર ઉપકારી ગુરુ સમરથ વૈદ્ય અમારા દીનોના તારણહારા.......ગુરુ રસિયા પુરણ.....(૨)

                    હો......ગુરુ નયનમાં નયન મિલાવ્યા કરો

                              ગુરુ ચરણમાં શીશ જુકાવ્યા કરો

હા........દાસ ચુથાભાઈના હૈયે અમૃતરસની ધારા, દીનોના તારણહારા.....ગુરુ રસિયા પુરણ....(૩)

-----------------------------------------------------------------------------------

Saturday, March 3, 2018

અમૃતબિંદુ

ઊંચી સ્વરૂપ કેરી જ્યોત

(રાગ: ઊંચી તલાવડીની કોર પાણી ગ્યાતા પાણી .....)

ઊંચી સ્વરૂપ કેરી જ્યોત મંદિર ગ્યાતા મંદિર, સંદેશો મળીયો વાટમાં

સુરતાને સગપણના કોડ મંદિર ગ્યાતા મંદિર, સંદેશો મળીયો વાટમાં

                                શબ્દ દેશના સળંગ શિખરે શૂન્ય સાગરનો રાજવી,

અન્વય અનામી પૂરે કોડ..... મંદિર ગ્યાતા મંદિર, સંદેશો મળીયો વાટમાં

                                સુમતિ સૈયરની સાથે રૂપ ગુણના દ્વાર ઉગાડી,

ગુરુગમનો પહેરી લીધો મોડ ......મંદિર ગ્યાતા મંદિર, સંદેશો મળીયો વાટમાં

                                મંદિરીયાને છેલ્લે શિખર સદગુરુ શાન બિછાવી

ચૂંથારામ ના આત્માને છોડ......મંદિર ગ્યાતા મંદિર, સંદેશો મળીયો વાટમાં

-----------------------------------------------------------------------------------------------

મને અંતરદેશી મળીયા

(રાગ: મારું રણ તમે છોડવો રે રણછોડરાયા ......)

મને અંતરદેશી મળીયા રે ભરમણાઓ ભાગી

મારા મનના મનોરથ ફળિયા રે વિટંબણાઓ ત્યાગી

                  ભવસાગરમાં ભટકાતો

                  મોહ-માયાની ખાતો લાતો

પંચ ભૂતોમાં ભટકાતો રે ....ભરમણાઓ ભાગી....મને અંતરદેશી...

                  મારે અંતરમાં અજવાળું

                  હું બહાર કશું ના ભાળું

મારું સરી પડ્યું જગનું લારું રે ....ભરમણાઓ ભાગી....મને અંતરદેશી...

                  સદગુરુની શાંનકા વાગી

                  મારી અંતર જ્યોતિ જાગી

ચૂંથારામ રહ્યો અનુરાગી રે ....ભરમણાઓ ભાગી....મને અંતરદેશી...

-----------------------------------------------------------------------------------------------

માનવતા જાળવવી

(રાગ: અંતર પ્રીતિ લાગી કનૈયા મળવા વહેલો આવજે)

માનવતા જાળવવી હોય તો નીતિ રીતી પાળજ્યો

સજ્જનતા જાળવવી હોય તો વિવેકબુદ્ધિ રાખજ્યો

ભક્તપણું જાળવવું હોય તો વાણીને વશ રાખજ્યો

સંતપણું જાળવવું હોય તો મોહ-મમતાને ટાળજ્યો

કર્તા-અકર્તા રહેવું હોય તો જળકમળવ્રત ચાલજ્યો

જીવનમુક્ત બનવું હોય તો દેહભાવ ને છોડજ્યો

ચૂંથારામ ગુરુમુખી બનવું હોય તો આત્મદ્રષ્ટિ જોડજ્યો

-----------------------------------------------------------------------------------------------

અગમ-નિગમ

(રાગ: ચાંદો તે ચાલે ઉતાવળો, ચાંદરણી તારાને સાથ રે)

અગમ-નિગમ જાણે જ્ઞાની રે - જ્ઞાની તો અનુંભવાર્થી હોય રે

જ્ઞાની તો વાંચે ફરી-ફરી - ખોટ કે કસર હોય શાની રે

જ્ઞાની જાગે ધ્યાનમાં લાગે - નિજ પદમાં સુરતા ઠહેરાણી રે

વિષયથી વિરક્ત દેખી લ્યો - સંત ના હોય માની કે તાની રે

જ્ઞાની બોલે જુઠ્ઠું ના છોલે - ગુરુમુખી જ્ઞાનીની એંધાણી રે

દ્રશ્ય કલ્પનાઓ તો દુર કરે - ચૂંથારામ સ્વ-સ્વરૂપમાં સમાય રે

-----------------------------------------------------------------------------------------------

સત્યના સરોવરે

(રાગ: પ્રભુ ઊંડો તે કુવો જળ ભર્યો રે)

               સંતો સત્યના સરોવરે સંચર્યા

ત્યાં છે દેવો ના દેવ મહાદેવ રે ...... સરોવરે સંચર્યા

               સંતો જ્ઞાન ગલી રે શેરી સાંકડી

હું તો જોવું મારા ગુરુજીની વાટરે .... સરોવરે સંચર્યા

               સંતો ઝગમગ જ્યોતો ઝળકી રહી

વાગે અનહદ નગારાંની ધુશ રે ..... સરોવરે સંચર્યા

               બારે મેઘ પડગમ રૂપે ગાજતાં

પલ-પલ થાય વીજના ચમકાર રે......સરોવરે સંચર્યા

               ગુરુજી અનભે સિંહાસને શોભતા

દાસ ચૂંથારામ વદે જય જયકાર રે ...... સરોવરે સંચર્યા

-----------------------------------------------------------------------------------------------

ના આવે ગુરુગમને તોલે

(રાગ: લીલો માંડવો રચાવો પીળી પાંદડીએ સજાવો મારા રાય)

ભલે વેશ બદલો, ભલે દેશ બદલો હંસારાય

               તોયે ના'વે ગુરુગમને તોલે મારા રાય

ભલે કેશ ચૂંટાવો, ભલે મુંડ મૂંડાવો હંસારાય

               તોયે ના'વે ગુરુગમને તોલે મારા રાય

જો કોઈ ભગવાં કરાવે કે કોઈ દાઢી રખાવે હંસારાય

               તોયે ના'વે ગુરુગમને તોલે મારા રાય

જો કોઈ મૌન ગ્રહે કે કોઈ કષ્ટ સહે હંસારાય

               તોયે ના'વે ગુરુગમને તોલે મારા રાય

પ્યારી નારી છોડો કે ભલે વ્યવહાર તોડો હંસારાય

               તોયે ના'વે ગુરુગમને તોલે મારા રાય

ભલે રહો ઉપવાસી ભલે તીરથ કરો કાશી હંસારાય

               તોયે ના'વે ગુરુગમને તોલે મારા રાય

ભલે શ્રોતા બનો કે ભલે વક્તા બનો હંસારાય

               તોયે ના'વે ગુરુગમને તોલે મારા રાય

ચૂંથારામ મીઠો-મીઠો સાદ કર્ણ સુણી લેજો નાદ હંસારાય

               તોયે ના'વે ગુરુગમને તોલે મારા રાય

-----------------------------------------------------------------------------------------------