જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Wednesday, January 27, 2010

"અમૃતબિંદુ"


(રાગઃ આતો શક્તિ પવના ભરતી રે...........)

મન કલ્પિત દ્રશ્યો કરતું રે ક્યાંથી જડે અવિનાશ?

માયાવી ચિત્રો રચતું રે ક્યાંથી જડે અવિનાશ?

છે 'હું' ની પાછળ જ્યોતિ, જ્યોતિમાં મહા એક મોતી,

ગુરુ વિના જડે નહી ગોતી રે ક્યાંથી જડે અવિનાશ?

કોઇ જપ તીર્થ દ્રઢાવે, કોઇ તપસ્વી બની વન જાવે,

કોઇ ઊલટા પવન ચઢાવે રે ક્યાંથી જડે અવિનાશ?

નિજ ઘર તજી ભટકે વાડે, ખર ગર્વની ગુણ ઉપાડે,

જેમ પરાળ ખાધું પાડે રે ક્યાંથી જડે અવિનાશ?

કોઇ સંતની સાચી રીતિ, મુરખાને મનમાં ભીતી,

ચુંથારામ મનમુકી વાતો જૂઠી રે ક્યાંથી જડે અવિનાશ?


--------------------------------------------------------------------------------

(રાગઃ ખાખમેં ખપજાના જીવડા...........)

સદ્‍ગુરુ મળીયા, સંસય ટળીયા, નામ નગરમાં નિર્માયા હા...............હા

પંચ તત્વોકી કાયા માયા યુક્તિથી સમજાયા હા...............

શી કહું શોભા નામ નગરની જ્યાં જોવું ત્યાં જગરાયા હા..................હા

સંત વિદેહી તે રસ માણે જેણે ગુરુગમ પાયા હા.........

અલખ નામ નિર્વાણ લખાવે કોઇ અદ્‌લ ધરીપે આયા હા.............હા

નહીં સંન્યાસી નહીં ઉદાસી અખંડાનંદ ઘર પાયા હા..............

અક્ષરાતિત સંબંધકો મૂલા નહીં કોઇ થાપ ઉથાપા હા.................હા

દાસ ચુંથારામ સદ્‌ગુરુ સંગ મળીયા તેણે પૂર્ણ પદ પાયા હા....................



--------------------------------------------------------------------------------

- શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ, જિંડવા

No comments: