જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Saturday, April 17, 2021

આંખ વિનાનું......

 (રાગ:ત્રાંબા તે કુંડી સવા ગજ ઊંડી ......)


આંખ વિનાનું દર્પણ કેવું જાણો છાણા જેવું રે.
ગુરુ વિનાનો જ્ઞાન કરે તો વન્જ્યા દીહ્યા જેવું રે.
ગુરુ નહિ તો આંખ વિનાનો એવું વેદ કહે છે રે,

દેખા દેખી ગાય ખરો પણ દર્શન કોણ જ દેશે રે.
વેદો પણ પોકારી કહે છે ગુરુ વિનાનું શું ગાવું રે.
અંધેઅંધા પંથ ના દેખે, ભીંતોમાં ભટકાવું રે.

જ્ઞાન ગ્રહીને ગુરુ કરે તો સત્ય સ્વરૂપ લે શોધી રે.
ચૂંથારામ સદગુરુને શરણે, જે જન જઈને અટકે રે.
કુળ એકોતેર પેઢી રે તારે, અમરાપુરમાં મહાલે રે.

અંતરદેશી મળીયા..........

(રાગ: મારું રણ તમે છોડાવો રે રણછોડ રાયા.....)

મને અંતરદેશી મળીયા રે ભ્રમણાઓ ભાગી
મારા મનના મનોરથ ફળીયા રે વિટંબણાઓ ત્યાગી

ભાવસાગરમાં ભટકાતો ...........
ખાતો માયાની લાતો ........

પંચ ભૂતોમાં ભટકાતો રે .... ભ્રમણાઓ ભાગી 

મારે અંતરમાં અજવાળું .........
હું બહાર કશુ ના ભાળું.........

મારું સળી પડ્યું જગનું લાળુ રે .....ભ્રમણાઓ ભાગી

સદગુરુની શાંનકા વાગી.........
મારી અંતરજ્યોતિ જાગી ............

ચૂંથારામ રહ્યો અનુરાગી રે ..... ભ્રમણાઓ ભાગી


____________________________________________________________________