જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Wednesday, July 13, 2011

સદગુરુ સેવે સુખ થાયે

સોમે તો સદગુરુજી મળીયા, કે તાપ ત્રિવિધ તણા ટળીયા

વર્ષ્યા મેઘ વચનામૃત ઝરીયા, કે સદગુરુ સેવે સુખ થાયે

મંગળવારે મંગળ પદ નિરખ્યાં, કે રૂપ ગુણ સમજાતાં મન હરખ્યાં

નામે તો ઇશ્વર પદ પરખ્યાં, કે સદગુરુ સેવે સુખ થાયે

બુધે પેલી બુદ્ધી બળ મોટુ, કે સમજાયુ સારુ ને ખોટુ

કે સમ થયુ નાનું ને મોટુ કે સદગુરુ સેવે સુખ થાયે

ગુરૂવારે ગુરૂજી ઘેર આવ્યા, આપી દિક્ષા અલખ ઓળખાવ્યા

કે નિરાકાર નજરે નિરખાવ્યા, કે સદગુરુ સેવે સુખ થાયે

શુક્રવારે સુક્રિત સુધરીયાં, ગુરુજીના વચને હું પદ ગળીયાં

કે મનમાં નિજ સ્વરૂપ ઠરીયાં કે સદગુરુ સેવે સુખ થાયે

શનિવારે શનિપાતો ટળીયાં, મળ્યા મને આનંદના દરિયા

કે બ્રહ્મસ્વરૂપમાં જઇ ભળીયાં, કે સદગુરુ સેવે સુખ થાયે

રવિવારે રથે સુરજ શોભે, સુરતાના મનડા ત્યાં લોપે

વિવાહ કિધા સદગુરૂજી શોભે,કે સદગુરુ સેવે સુખ થાયે

સાતે વારે સમજણમાં ધરતાં, કર ગુરૂ છગનરામ શિર ધરતાં

કે પરાંણ વાર નહિં ભવજળ તરતાં, કે સદગુરુ સેવે સુખ થાયે

રચયિતાઃ

પલાભાઇ ચુંથાભાઇ પટેલ

No comments: