જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Monday, July 12, 2010

મનની મહેલાતો

(રાગઃ સાચુ મોતીડું મારૂ મોંઘું મોતીડું...)

મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

ઓંચિંતાં તેડા થાશે જંજાળીયા મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

દ્રષ્ટીના દોષતો ભોગવવા પડશે

નયનોનાં નખળાં નડશે જંજાળીયા મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

દુઃસંગ ત્યાગજે ને સતસંગ રાખજે

હરખે હરિના ગુણ ગાજે જંજાળીયા મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

સદગુણ શોધી ગાડાં ભરી લાવજે

દુર્ગુણથી દુર રહેજે જંજાળીયા મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

ભજન સતસંગમાં વ્હેલો વ્હેલો આવજે

ચુંથારામ ગુરુ શરણ રહેજે જંજાળીયા મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

No comments: