જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Thursday, July 15, 2010

આત્મજ્ઞાન


(રાગઃ મારા માંડવે નાગરવેલ છાયી રે માંડવો ......)


જેઓ મન કર્મ વચને પ્રભુ પરાયણ રહેશે રે તેને આત્મજ્ઞાન થાય


એક જ કલાક માળા ફેરવે ત્રેવીસ કલાક રખડે રે


માયાનાં મીઠાં મધ સુખ છોડે રે તેને આત્મજ્ઞાન થાય


સગાં વ્હાલાંની ખુશામતમાં ભવનાં બંધન બાંધે રે


અમુલ્ય સતસંગનો સેવનારો રે તેને આત્મજ્ઞાન થાય


લોકડીયાંનાં મ્હેંણાં ટેણાં સહન કરતાં શિખે રે


કોઇનું અપમાન કરવું એ પોતાનું માને રે તેને આત્મજ્ઞાન થાય


સર્વ સ્થુલે વ્યાપી રહેલો સમ દ્રષ્ટીમાં દરસે રે


ચુંથારામ જેના ચિતમાં આનંદ વરસે રે તેને આત્મજ્ઞાન થાય


No comments: