જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Saturday, December 4, 2010

ભુલી ગયો ભગવાનને


જીવ જુવાનીના જોરમા, પૈસાના તોરમાં, ભુલી ગયો ભગવાનને

તારા મનથી માને કે હું મોટો,

તારી પાસે ક્યાં બુદ્ધીનો તોટો

રહ્યો ગાફેલને વાળ્યો છે ગોટો લ્યા માનવી ભુલી ગયો ભગવાનને

પડ્યો પાંચ વિષયની પૂઠમાં,

ખોવા માંડ્યું આખુ જીવન જૂઠમાં,

તેથી સાચુ ના આવે સમજણમાં લ્યા માનવી ભુલી ગયો ભગવાનને

મન માંકડુ થેકડા મારતુ,

જાય ઉકરડે જરી સંભાર તુ,

ખરુ સાધન શુ છે એ ખોળ તુ લ્યા માનવી ભુલી ગયો ભગવાનને

ભૂંડા વિચારી જોને તુ વાયદો,

પ્રભુ નહી ભુલુ તેવો કર્યો વાયદો,

છુટો થયો ત્યારે પડી ગયો માંદો લ્યા માનવી ભુલી ગયો ભગવાનને

ઘણું કહ્યુ છે ગાંઠે બાંધ તું,

ચુંથારામ ભ્રમણાને છોડ તું

સત્ સાધનની સીડીએ ચડ તુ લ્યા માનવી ભુલી ગયો ભગવાનને

No comments: