જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Saturday, January 1, 2011

નવધા ભક્તિ

ભક્તિ મરજીવા થઇને મોંજો માણીએ

મારા દિલડામાં વસીયા આતમરામ રે ભક્તિ મરજીવા થઇને મોંજો માણીએ

ભક્તિ પહેલી તે શ્રવણ શરણું લીજીએ

બીજી કિર્તન કરુણ ભવે કરીએ રે ભક્તિ મરજીવા થઇને મોંજો માણીએ

ત્રીજી સ્મરણ શ્વાસાએ અનુંસરીએ

ચોથી ભક્તિ તે પાઠ પૂજા થાય રે ભક્તિ મરજીવા થઇને મોંજો માણીએ

પાંચમી અર્ચન ભક્તિ દિલમાં ધારીએ

હરીનું ચંદન ચરણામૃત લેવાય રે ભક્તિ મરજીવા થઇને મોંજો માણીએ

છઠ્ઠી વંદન સક્ળ જીવને નમીએ

સાતમી દાસત્વે કોઇનું દિલના દમીએ રે ભક્તિ મરજીવા થઇને મોંજો માણીએ

આઠમી મિત્રભાવે રે નજરે નાણીએ

નવમી આત્મ સમર્પી હું ભાવ તજીએ રે ભક્તિ મરજીવા થઇને મોંજો માણીએ

દસમી પ્રેમ લક્ષણા ઉરમાં ધારીએ

ચુંથારામ નયનોમાં વરસે નુરાં રે ભક્તિ મરજીવા થઇને મોંજો માણીએ

No comments: