જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Sunday, July 14, 2019

વૈરાગના પ્રકાર

(રાગ: સર્વે સગાં બદ્રીપતિને સાંભળો રે)

ધન્ય ધન્ય ભાગ્ય વૈરાગ વષયો જેના રુદીયે રે

સદગુરુ સેવી પ્રેમના પંથે પોતે પડીયો રે

ચાર પ્રકારના વૈરાગ ચાર કહેવાય રે

યતમાન પહેલો વ્યતિરેક બીજો થાય રે

એક ઇન્દ્રિયને વશીકરણ ચોથો થાય રે

સ્મશાન વૈરાગ પહેલો યતમાન ગણાય રે

વ્યતિરેક તે વિષયો ત્યાજે માન માટે રે

મનથી રાગ થયો છે જેનો પહ બહાર દેખાય રે

એકે ઇન્દ્રિય તેથી પરમ સુખ થાય રે

નિશદિન ઉઠતી લહેરો આનંદની લહેરાય રે

રાગ રહિત જે બહાર ભીતર એક રૂપ રે

વશી કાટ તે મુક્તપણું તે કહેવાય રે

બ્રહ્મસ્વરૂપે કરીએ તેને ચુંથારામ રે

No comments: