જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Thursday, April 3, 2025

નિજ સ્વરૂપે નીરખ્યાથી

(રાગ: વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય ખાય ખાય)

નિજ સ્વરૂપે નીરખ્યાથી ઘટમાં આનંદ થાય થાય થાય 

તરંગો મન મસ્તાની ઘોડા વિખરાઈ જાય જાય જાય 

        મનના મેલો દુર કરાયે 

        હરિ કીર્તનમાં ચિત્ત દોરાયે

અંત:કરણમાં સુરતા શ્યામ સંબંધ થી જાય જાય જાય 

        નુરતે નીરખો સુરતે પરખો

        વીતીયા ભાવ થાકી જરી અટકો

જ્યાં ત્યાં નિજ સ્વરૂપ જોઈ હરખો આનંદ થાય થાય થાય 

        અહમ ઉલટી સોહમ જાગે 

        અજ્યા જાળ હ્રદયમાં લાગે

ચુંથારામ નિજ અભ્યાસે પાર્ય બેડો થઇ જાય જાય જાય

No comments: