જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Saturday, July 24, 2010

ગુરુ પૂર્ણીમા


અષાઢ સુદ પુનમનો પવિત્ર દિવસ ગુરુ પૂર્ણિમા જે આદિ- અનાદિથી મનાવવામાં આવે છે, સનાતક વૈદિક હિન્દુ ધર્મમાં ગુરુ પરંપરા ભગવાન નારાયણે જયારે સૃષ્ટીનો આરંભ કર્યો ત્યારથી શરુ થયેલી છે. નારાયણ જ આદિ ગુરુ છે, અને નારાયણ જ વેદ- વ્યાસ થઈને પ્રગટ થયા (જેમણે યજૂર્વેદ, સામવેદ ઋગ્વેદ અને અથર્વેદ એમ ચાર વેદોનું સંકલન કર્યુ હતુ માટે તે વેદ-વ્યાસ તરીકે પ્રસિધ્ધ થયા) માટે આને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. ગુરુ પૂર્ણીમા એટલે ગુરુ (વડીલો) પ્રત્યેનો ૠણ ભાવ વ્યક્ત કરી, અહોભાવથી વંદન કરી ગુરુ મહિમા ગાવાનો શુભ અવસર. (સંસ્કૃત: गुरु) શબ્દએ બે શબ્દો, 'ગુ'(અંન્ધકાર) અને 'રુ'(પ્રકાશ)ની યુતી છે. આમ ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારી શકિત. વ્યવહારીક દ્રષ્ટિએ શિ઼ક્ષક અથવા માર્ગદર્શકને પણ ગુરુ તરીકે સંબોધવામાં આવે છે.

સચ્ચિદાનંદ પરમહંસ (જય પ્રભુ) કહે છે કે

"તારી અંદર રહેલો આત્મા
જગતના તમામ ગુરુઓ કરતા
અનંત ગણો મહાન છે"
(સદગુરુ)



શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ ગુરુ (સદગુરુ) નો મહિમા ગાતા કહે છે કે..................



(રાગઃ આ સંસાર મુસાફિર ખાનું..........)

ગુરુની ગાદી ર્હદય કમળમાં નિત નિત દર્શન થાય સુરતા આનંદે લહેરાય સુરતા આનંદે લહેરાય

પ્રભાત સમયમાં વ્હેલા ઊઠી, ગુરુ ચરણમાં ચિતને રોપી

સાધક જનની શુધ્ધ મનેથી ગુરુની નમની થાય સુરતા આનંદે લહેરાય (૨)

હરિગુરુ સંત સ્વરૂપે ફરતા, પરખી જોતાં પાતક હરતા

ધર્મ નીતિ વિવેક સમર્પી શુધ્ધ બનાવે કાય સુરતા આનંદે લહેરાય (૨)

ભગવદ ભાવ ભરોસો ભારી, સંત શ્બ્દમાં દ્ર્ઢતા ધારી

અદેખાઇની અગ્નિ ટાઢી શિતળ જેવી થાય સુરતા આનંદે લહેરાય (૨)

અમી ભરેલાં નયનો જોઇ, સૌ કોઇને મન અચરજ હોઇ

હસતા મુખડે અમૃત સરખી વાણીથી સુખ થાય સુરતા આનંદે લહેરાય (૨)

જગત નિયંતા જગથી ન્યારો ગુરુગમથી પોતામાં ભાળો

અંતરથી તન મનથી ચુંથારામ જાણી લો જગરાય સુરતા આનંદે લહેરાય (૨)


--------------------------------------------------------------------------------

મારે ધડપર ગુરુના શિશ હવે કાચી કલ્પના કેમ થાયે

મારે સમરથ ગુરુ જગદિશ હવે કાચી કલ્પના કેમ થાયે

સુરતા છોકરી ઢીંગલે રમતી બાળપણાની રીત

સમય જાતાં સમજણમાં આવી વિવેકે રંગ્યા ચિત હવે કાચી કલ્પના કેમ થાયે

શરીર હું નહી સગુણ રૂપે ગુરુજી તણો દિદાર

ધર્મનીતિનું પાલન કરવા સ્વિકાર્યો સંસાર હવે કાચી કલ્પના કેમ થાયે

વસ્તું માથી પરમ વસ્તું જાણી લીધી નિર્ધાર

અમીરસ ઘૂંટડો ગળે ઉતરીયો તુરંત થયો પ્રકાશ હવે કાચી કલ્પના કેમ થાયે

સદગુરુ શબ્દે સુરતા ચાલી નિજપદમાં નિર્ધાર

દાસ ચુંથારામ સદગુરુ સંગ ભરતાં ભવનો બેડો પાર હવે કાચી કલ્પના કેમ થાયે


--------------------------------------------------------------------------------

વારી વારી ગુરુજી બલિહારી રે

મારા ર્હદય બગીચાના માળી ગુરુજી બલિહારી રે

કુણા અંકુરે જ્ઞાન પાણી પોશિયા રે

કાંટા કાકળા વળાવ્યા વાડી ઓપી ગુરુજી બલિહારી રે

કીધી સડકો સાહેબ દરબારની રે

ચાર ચૌટાની બાવન બજારી ગુરુજી બલિહારિ રે

કીધી બોંતેર બેઠકની બંગલી રે

ત્યાં ગાદી ગુરુની રંગ પ્યારી ગુરુજી બલિહારી રે

ફૂલ ખીલ્યાં ચાદર નવરંગની રે

ગુરુ છેલ છબીલો વનમાળી ગુરુજી બલિહારી રે

જાણે વિજળી ગગનમાં ઝબકી રે

દાસ ચુંથારામે નયને પરખી ગુરુજી બલિહારી રે


--------------------------------------------------------------------------------

ગુરુજી ખેવટીયા પાર કરો નૈયા ભવસાગરની માંય પાર ઉતારો ને

પકડો બલૈયા, સાગર તરૈયા, સંસાર સાગર માંય પાર ઉતારો ને

સંસાર સાગર મહાતોફાની ગહેરાં ગંભીર પાણી

મોજાં ઉછાળે રવ રગદોળે તરંગો જાયે તાણી

દોરી સોપી ગુરુના કર માંય પાર ઉતારો ને

કડવા, તીખા ખારા, ખાટા શબ્દો મગર તોફાની

ઇર્ષા તૃષ્ણા લાલચ આશા લાંબી ચાંચો ફાડી

ઘેરો ઘાલી કરે ઘમસાણ પાર ઉતારો ને

નૌકા મધ્યે ગુરુ દયાથી સ્થિરતા સ્થંભ રોપાવી

નિવૃત્તિ શઢમાં જ્ઞાન પવનની ચોટો જબળી લાગી

ચુંથા નાવ ચલી સડસડાટ પાર ઉતારો ને


--------------------------------------------------------------------------------


ગુરુજીની જુક્તિમાં આવિચળ વાણી

અવિચળ વાનીનો પડઘો લગ્યો રસ ઘેલી સુરતા સાસરીયે ચાલી

સખીઓનો સંગ છોડી જાવું નિર્વાણે

અનવય અનામી લાગ્યો મીઠો રસ ઘેલી સુરતા સાસરીયે ચાલી

વિવેક વિરોજી આવ્યા સુરતા વળાવવા

ઝાંપે જગદીશનો માફો દીઠો રસ ઘેલી સુરતા સાસરીયે ચાલી

માફામાં સુરતા બેની વિરે પધરાવ્યા

ચૌવા ચંદનનો ચાંદો ચોડ્યો રસ ઘેલી સુરતા સાસરીયે ચાલી

અનહદ પૂરીના વાજાં નોબતો વાગી

ચુંથારામ મોક્ષ દરવાજો ખુલ્યો રસ ઘેલી સુરતા સાસરીયે ચાલી


--------------------------------------------------------------------------------

ગુરુજી રણબંકા રાજ મેઘ અષાઢી

મોર નાચેને ચલ્લી પાંખ પ્રસારે રાજ બપૈયા બોલે

જ્ઞાનની ધારા વૃષ્ટી વરસવા લાગી

પત્થર ર્હ્દયની ભુમી પોચી બનાવી રાજ બપૈયા બોલે

ચોખા બનેલા ક્ષેત્રે બીજ વવાયાં

અંકુર ફુટીને ડળે પાંદે છવાયાં રાજ બપૈયા બોલે

ગુરુની કૃપા દ્રષ્ટીથી પુષ્પો રે ખીલશે

પુષ્પો ખીલીને પાકાં ફળ અનૂભવશે રાજ બપૈયા બોલે

પૂર્વના પૂન્યે મળીયા ગુરુ ભલાભાઇ

ચુંથારામ ર્હ્દયમાં દિવડો ઝગમગ ઝગાવ્યો રાજ બપૈયા બોલે


--------------------------------------------------------------------------------

ગુરુ રસિયા પુરણ કામ ગુણના ધામ ગુરુજી હમારા દીનોના તરણહારા

ગુરુ જ્ઞાનની ગોળી આપે છે,

મહારોગ સમૂળો કાપે છે

રગરગમાં જ્યોતિ તેજ તણા ધબકારા દીનોના તારણહારા

મુક્યુ નામનું નસ્તર સુખકારી,

મારી અંતર વેદના સૌ ટાળી

પરઉપકારી ગુરુ સમરથ વૈદ હમારા દીનોના તારણહારા

ગુરુ નયનોમાં નયન મિલાવ્યા કરું

ગુરુ ચરણોમાં શિશ જુકાવ્યા કરું

દાસ ચુંથારામના હૈયે અમૃત રસની ધારા દીનોના તારણહારા

Sunday, July 18, 2010

ભવજળ

ગોથાં ખાધાં રે ગણા ભવનાં ચિંતાને ડુંગર જઇ ચઢ્યો રે

ભાન ભુલ્યો કે હું કોણ છું ભજન વિના ભવ ભટક્યો રે

જાળવી જાણી નહી જાત્રા કલેશ દૂર નવ કર્યો રે

કાયા દમીને ક્લેશ વ્હોરીયા સમજણ દૂર સહી ગઇ રે

ઝીણાં ઝીણાં જીવડાંને જાળવે જાણે કે કલ્યાણ કરીએ રે

તીર તાકે માણસના તૂંબડા ઇર્ષા અગ્નિ જળહળે રે

ગળાં રહેંશીને ભેગુ કરીયું ના ખર્ચે ના વાપરે રે

પાપનો બાંધીને બચકો નરક પંથે જઇ ચઢ્યો રે

પ્રપંચે પટલાઇ ડહોળવા ઊંધું બોલે જાણી જોઇ રે

લાંચ ખાધાના છે લાલચુ ચોરાશીમાં ડૂબી મરે રે

હરિનું ભજન કરી હારિયો કહે છે કે નવરાશ નથી રે

રખડવું રઝડવું ગામમાં ઉંમર આખી ખોઇ નાખી રે

ઠઠ્ઠા બાજીમાં છે ઠાવકા બહેકેલા બોલે તાણી તાણી રે

કહે ચુંથારામ શી ગત થાશે લેવાશે લેખાં પળપળનાં રે


--------------------------------------------------------------------------------

ભવજળ તરવા ઉમંગે હરિ ભજીએ મારા પ્રેમીઓ

વિષય સુખમાં રચ્ય પચ્ય શીદ રહીએ રે સોહાગી મનવા...... મોંઘો મનુષ્ય જનમ ફરી ફરી નહી પામીએ

સંતસમાગમ દેવોને દુર્લભ કોડે કોડે કીજીએ

ભજન ભુલાવે તેવાનો સંગ તજીએ રે સોહાગી મનવા...... મોંઘો મનુષ્ય જનમ ફરી ફરી નહી પામીએ

વણમતીયા દુનિયાની વાદે ફોગટ ફેરા શીદ ફરીએ

હરિ ભજન કરી જન્મ સફળ કરી લઇએ રે સોહાગી મનવા...... મોંઘો મનુષ્ય જનમ ફરી ફરી નહી પામીએ

રૂડું કરતાં કુંડું કહે તેવા દુરિજનિયાંથી શીદ ડરીએ

અંતરમાં સમરીએ સુંદર શ્યામ રે સોહાગી મનવા...... મોંઘો મનુષ્ય જનમ ફરી ફરી નહી પામીએ

કરજોડીને કહેછે ચુંથારામ સમરો સીતારામને

પળઘડી નવ રાખો ન્યારા નાથ રે સોહાગી મનવા...... મોંઘો મનુષ્ય જનમ ફરી ફરી નહી પામીએ

Thursday, July 15, 2010

આત્મજ્ઞાન


(રાગઃ મારા માંડવે નાગરવેલ છાયી રે માંડવો ......)


જેઓ મન કર્મ વચને પ્રભુ પરાયણ રહેશે રે તેને આત્મજ્ઞાન થાય


એક જ કલાક માળા ફેરવે ત્રેવીસ કલાક રખડે રે


માયાનાં મીઠાં મધ સુખ છોડે રે તેને આત્મજ્ઞાન થાય


સગાં વ્હાલાંની ખુશામતમાં ભવનાં બંધન બાંધે રે


અમુલ્ય સતસંગનો સેવનારો રે તેને આત્મજ્ઞાન થાય


લોકડીયાંનાં મ્હેંણાં ટેણાં સહન કરતાં શિખે રે


કોઇનું અપમાન કરવું એ પોતાનું માને રે તેને આત્મજ્ઞાન થાય


સર્વ સ્થુલે વ્યાપી રહેલો સમ દ્રષ્ટીમાં દરસે રે


ચુંથારામ જેના ચિતમાં આનંદ વરસે રે તેને આત્મજ્ઞાન થાય


Wednesday, July 14, 2010

ગુરૂ વચન

(રાગઃ આ તો જગત અનાદિ આડંબરના કરીએ રે)

ખોટો ડોળ ના કરીએ ગુરૂમુખ બાનું ધારી રે

મળ્યા સદ્‍ગુરૂ દેવ સમજણ આપી સારી રે

લીધી પાંચ પ્રતિજ્ઞા હાથમાં જળ ધારી રે

તન મન અર્પણ કરીયાં સંતોની સાક્ષી ધારી રે

બોધ સ્વરૂપનો કરીયો વિશ્વાસપાત્ર ધારી રે

આપ્યાં વચન તે ચુક્યા વિષયે વૃત્તિ વારી રે

માન મોટાઇમાં મમતા અહમ ભરીયો ભારી રે

કુડ કપટ પ્રપંચ દગો દિલ ધારી રે

રૂણ પરનાં પચાવ્યાં, વૈભવે મોંજ માણી રે

વાણી, વલોણોમાં ગુમ્યા તત્વ નહિ તરીયાં રે

સાચા સંતોની વાણી વર્તન નથી જરીએ રે

પૂરા ગુરૂ છગનરામ રહેણી વેવણ વણીયાં રે

પરાંણ વચનમાં વરીયા એતો ભવ જળ તરીયા રે


----------------------------------------------------------------

(રાગઃ મારા માંડવે ઉડે રે ગુલાલ (૨).........)

ગુરૂ વચને ગળીયાં છે મન ગુરૂ વચને ગળીયાં છે મન..

ત્રિવિધના તાપો ટળીયાં મનના હો રામ

માળી અમને ગુરૂગમની શાન, મળી અમને ગુરૂગમની શાન..

ગુરૂગમ ચાવીએ તાળાં ખોલીયાં હો રામ

ખોલી દીધાં અગમઘરનાં દ્વાર, ખોલી દીધાં અગમઘરનાં દ્વાર..

અગમ સુગમે સાયબો શોભતા હો રામ

જાણી લીધી જીવાભાઇની જાત, જાણી લીધી જીવાભાઇની જાત..

ગુણની ગાદીએ જીવો શોભતા હો રામ

જોઇ લીધાં માયાનાં રૂપ, જોઇ લીધાં માયાનાં રૂપ..

રૂપના રૂષણે માયા મ્હાલતી હો રામ

રૂપ ગુણે ભળ્યો રે ભંડાર, રૂપ ગુણે ભળ્યો રે ભંડાર..

અનામીના નામે નક્કી કરીયો હો રામ

તુટી પડ્યા માયાના મહેલ, તુટી પડ્યા માયાના મહેલ..

ગગનગીરાએ તંબુ તાણીયા હો રામ

છુટી ગયો કર્તાપણાનો ભાવ, છુટી ગયો કર્તા પણાનો ભાવ..

અકર્તાના ઘરે પગરણ માંડીયા હો રામ

પૂર્ણ પદ પરખાવ્યું રે નિર્વાણ, પૂર્ણ પદ પરખાવ્યું રે નિર્વાણ..

અગમઘરના ભેદુ સંતો ભેટીયા હો રામ

શોભે સુંદર સાધારામની જોડ, શોભે સુંદર સાધારામની જોડ..

છગનરામની શાને સંસય ટળીયા હો રામ

આનંદ સાગર છલકાઇ જાય, આનંદ સાગર છલકાઇ જાય..

પરાંણ પરાની પાળે મ્હાલતા હો રામ


---------------------------------------------


Authored By:

Shri Palabhai Chunthabhai Patel, Jindva

Tuesday, July 13, 2010

ભક્તિ માર્ગ

અમે ભક્તિ માર્ગ જાલ્યા રે આ ભજનધૂન લાગી છે

અમે સંતોના વચને ચાલ્યા રે આ ભજનધૂન લાગી છે

અમે સંતોની સમશેર જાલી રે આ ભજનધૂન લાગી છે

અમે સઢ રીપું સંહાળ્યા રે આ ભજનધૂન લાગી છે

અમે મમતાના મૂળ બાળ્યા રે આ ભજનધૂન લાગી છે

અમે જૂઠની જડમૂળ કાઢી રે આ ભજનધૂન લાગી છે

અમે જગથી જુદા ઠરીયા રે આ ભજનધૂન લાગી છે

અમે સંતો ભેગા ભળીયા રે આ ભજનધૂન લાગી છે

અમે દુરીજનથી ના ડરીએ રે આ ભજનધૂન લાગી છે

અમે સાકૂટ સંગના કરીએ રે આ ભજનધૂન લાગી છે

અમે ભક્તિ ભજનભાવ ધરીએ રે આ ભજનધૂન લાગી છે

અમે સંતોની સંગત કરીએ રે આ ભજનધૂન લાગી છે

શિર ગુરુ છગન કર ધરીયો રે આ ભજનધૂન લાગી છે

દાસ પરાંણ ભજનમાં ભરીયો રે આ ભજનધૂન લાગી છે


-----------------------------------------

ભક્તિ માર્ગ છે પાધરો રે

સાચા શૂરવિરનો સંગ્રામ હો લાલ ભક્તિ માર્ગ છે પાધરો રે

પ્રથમ દાનવવૃત્તિ દૂર કરીને

લેવો માનવ જીવનનો લ્હાવો હો લાલ ભક્તિ..... (ટેક)

સત્ય, નીતિ, દયા ઉર ધારીને રે

કરવો સાચા સંતોનો સંગ હો લાલ ભક્તિ......

સંતની સેવાથી સુખડા સાંપડે રે

રીજે સદ્‌ગુરુ દીનદયાલ હો લાલ ભક્તિ.....

તન, મન સાંપીને સદ્‌ગુરુ સેવીએ રે

ગુરુજી આપે અભય વરદાન હો લાલ ભક્તિ....

પરવાનો મેળવીને પંથે ચાલીએ રે

રોકી શકે ના કોઇ બારે વાટ હો લાલ ભક્તિ.....

જગમાં જળ કમળવ્રત ચાલીએ રે

માયા રંગના લાગે લેશ હો લાલ ભક્તિ.....

જગમાં રહેવુંને વર્તન જૂજવા રે

જગલાં જાણી શકેના ભેદ હો લાલ ભક્તિ......

સાચા ગુરુ છગનરામ સેવતાં રે

પરાંણ પતિત પાવન થઇ જાય હો લાલ ભક્તિ.......


------------------------------------------------


શ્રી પલાભાઇ ચુંથાભાઇ પટેલ, જિંડવા

વિરાજી

(રાગઃ આવું મનખા સરખુ ટાણુ રે વિરાજી તમને નહિ મળે રે જી)

વાતે વડાં કીધાં રે ભૂખ કેમ ભાગશે રે જી

જમ્યા વિના તો તૃપ્તિ કદીએ નહિ થાય

એવી ચિતરામણની ચકલી રે વિરાજી તૃષા કેમ છીપશે રે જી

સતસંગતમાં બેઠા રે સંસયના શુર શાલતા રે જી

ઇર્ષા અગ્નિ હોળીનો ભડકો ભડભડ થાય

એવી કગમતીએ કરણી રે વિરાજી વાલમ વેગળા રે જી

હરી ભજનમાં બેઠા રે જગ વાતે મનડાં મ્હાલતાં રે જી

ધનની લાલચ લબકારે મનડાં જોલા ખાય

એવા આશાના ઉમળકારે વિરાજી મહેનત માથે પડે રે જી

ગુરૂની કંઠી પહેરી રે તનમન શબ્દે સાંપીયાં રે જી

સત્ય સમજ વિના શાંતિ કદીએ નહિ થાય

અંતરપટ નવ ખોલ્યો રે વિરાજી ઉદ્યમ અવરગતિ રે જી

આપમતિએ ઉજળા રે કર્મોના ભરીયા કોથળા રે જી

અહમના હિલોળે ઊંધુ ચત્તું થઇ જાય

ડગમગ નૌકા ડોલે રે વિરાજી ભવમાં ડુબશો રે જી

એવા પરઉપકારી સંતો રે દુખિયાના દુખડા કાપશે રે જી

એવા સંતો જગમાં ભવતારણ ભગવાન

એવા સાચા સુખને ચાહો રે વિરાજી સેવીએ રે જી

એવા ગુરુ છગનરામ મળીયા રે પરાંણભાઇ શરણું સેવીએ રે જી

એવા પૂરણ પૂરૂષનૂ શરણું રે કેમ વાકો થાય વાળ

એવા ગુરૂના હુકમે હાલો રે વિરાજી ભટકણ ભાગશે રે જી


===================================================

Authored by:

Shri Palabhai Chunthabhai Patel
Jindva, Ta. Dehgam, Dist. Gandhinagar

મનવાભાઇ

(રાગઃ જેસલ કરીલે વિચાર માથે જમ કેરો માર.......)

મનવા કરીલે વિચાર, સત્ય ધર્મ સંભાળ

શિર પર જુકી રહ્યો કાળ, જવુ પડશે નિર્ધાર

આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે

આપણે સાચા સંતો સંગ ભવ તરીએ રે

મોંઘો મનુષ્ય અવતાર, નહિ મળે વારંવાર,

અવશર અફળના જાય, મનખો સફળ થઇ જાય,

આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે

સંસાર સ્વપ્ન સમાન, વિતી જાતાં નહિ વાર,

છોડી જગની જંજાળ, હેતે હરીને સંભાળ,

આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે

ખલક જગના સૌ ખેલ, મનવા મારું તારું મેલ,

તોડો આશા અમરવેલ, ટળે ચારે ખણી જેલ,

આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે

અઘળી વાતો થાય સહેલ, ટળે મનડાના મૅલ,

કરીએ ભક્તિમાં પહેલ, ચક્કર ચૉરાશીનાં ફેલ,

આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે

પાંચે તત્વે પ્રકાશ, પિંડે બ્રહ્માંડે વાસ,

ખોજ કરી લ્યોને ખાસ, પ્રગટે પોતાની પાસ,

આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે

ગુરૂ છગનરામ શિર ધાર, વૃત્તિ વચનમાં વાળ,

સેવા સંતોની સ્વિકાર, પરાંણ પ્રભુજી નિહાળ

આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે

==============================================

Authored by:

Shri Palabhai Chunthabhai Patel
Jindva, Ta. Dehgam, Dist. Gandhinagar

Monday, July 12, 2010

સદગુરુની શાન

(રાગઃ મારા જીવન કેરી નાવ તારે હાથ સોંપી છે......)

સજીએ સદગુરુની શાન તજીએ માનને ગુમાન,
અહમતા મમતા ત્યાગ કરીને મનની મટકી ફોડીએ,
ભજીએ ભવતારણ ભગવાન તજીએ માનને ગુમાન.

કરમ ભરમના મોહ જંજાળો ગુરુના શબ્દે તોડીએ
કરીએ નીજ સ્વરૂપનું ભાન તજીએ માનને ગુમાન.

એક રૂપ જગ વ્યાપક ભરપૂર અનુંભવ આંખે દેખીએ,
અહંકાર ઓઠે રહ્યો ભગવાન તજીએ માનને ગુમાન.

ખોજ કરીલે દિલની અંદર તનનો તાપ મીટાવી દે,
ચુંથારામ ગ્રહી લઇએ ગુરુ જ્ઞાન તજીએ માનને ગુમાન

સજીએ સદગુરુની શાન તજીએ માનને ગુમાન

મનની મહેલાતો

(રાગઃ સાચુ મોતીડું મારૂ મોંઘું મોતીડું...)

મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

ઓંચિંતાં તેડા થાશે જંજાળીયા મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

દ્રષ્ટીના દોષતો ભોગવવા પડશે

નયનોનાં નખળાં નડશે જંજાળીયા મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

દુઃસંગ ત્યાગજે ને સતસંગ રાખજે

હરખે હરિના ગુણ ગાજે જંજાળીયા મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

સદગુણ શોધી ગાડાં ભરી લાવજે

દુર્ગુણથી દુર રહેજે જંજાળીયા મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

ભજન સતસંગમાં વ્હેલો વ્હેલો આવજે

ચુંથારામ ગુરુ શરણ રહેજે જંજાળીયા મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

જીવરામભાઇ

(રાગઃ મેંનાબેનને દામણી જોઇશે વરરાજા...........)

દેહતો છોડીને જાવું પડશે જીવરામભાઇ

કર્મોનો વિપાક લેવો પડશે જીવરામભાઇ

કાંઇક વાચિક માનસિકથી જે જે કર્મો થાતા

તે તણો જવાબ દેવો પડશે જીવરામભાઇ

કાયાથી કોઇ હિંસા થાય મનથી કોઇનું દિલ દુભાય

વાણીમાં બોલેલુ સામું મળશે જીવરામભાઇ

નીતિ અનીતિ સામે જૂઠા જે જે વર્તન થાતાં

ચોખ્ખે ચોખ્ખો હિસાબ દેવો પડશે જીવરામભાઇ

સાચાને મળશે સંપત્તિને જૂઠાને પડશે જૂતાં

ચુંથારામ એ ચોખ્ખું ચકમક ઝરશે જીવરામભાઇ

Thursday, June 17, 2010

જય પ્રભુ પરમાત્માના આશિર્વચન

તમે અહીંયા આવો છો એ સર્વાંન્તરયામીની જ પ્રેરણા છે.

સર્જનહાર પોતે પોતાની મેળે પોતાના સર્જનમા પ્રગટે એવી જ એની સર્વ પ્રેરણા છે.

તે સર્વવ્યાપક સર્વની સર્વશક્તિ, ર્હદયમાં રહેલા ચૈતન્યમાં જાગ્રત થવાથીજ પ્રગટે છે.

પૂર્ણરૂપ થવું એ જ સાચું જ્ઞાન અને સાચું ધ્યેય છે.

અહીં આવનાર દરેક કબુલે છે કે સાચા જ્ઞાન અને સાચા ધ્યેયમાં જ સાચી શાંતિ છે જે ભારતિય સંસ્કૃતિ નો સાચો વારસો છે.

ધનથી ભૌતિકતા વિલાસીતાથી અંદરની સાચી શાંતિ નથી જે પશ્ચિમની આંધળી દોટ છે.

આત્મજ્ઞાન સાચું શિક્ષણ છે.

જીવનશક્તિ, સૂર્યપ્રકાશ, પવન, અન્નજળ સર્જનહાર પ્રેરિત છે.

આત્માથી આત્મામાં જાગૃતિ - સાચા શિક્ષણમાં બાહ્ય ભૌતિકની અપેક્ષા નથી.

દરેક માણસ પોતાના સાચા સ્વરૂપે શુદ્ધ ચૈતન્ય હોવાથી આત્માથી આત્મામાં જ પૂર્ણ છે.

આત્મામાં આભાવ ઇચ્છા નથી.

શાળાની રજત જ્યંતિ પ્રસંગે સર્વેજનો પોતાનાજ ર્હદયમાં પોતાના જ આત્મારૂપ રહેલ સર્જનહાર સાથે એકતા પમી પૂર્ણ બને.



જય પ્રભુ

સચ્ચિદાનંદોહમ

નર્મદા, ૨૭/૦૯/૨૦૦૯

આસો સુદ ૯

વિક્રમ સંવત ૨૦૬૫




--------------------------------------------------------------------------------





સ્વયં મહાચિદાકાશ



આખું વિશ્વ ગુરૂ છે એમાં દરેક વ્યક્તિ વિદ્યાર્થી છે, આખા વિશ્વાત્માનું પૂર્ણજ્ઞાન શિક્ષણ છે અને વ્યક્તિપણાની સંકુચિતતાથી મુક્તિ અને આખા વિશ્વાત્મા સાથેની અનંતપૂર્ણ એકતા છેલ્લી ડિગ્રી - પરમપદ છે.



૩૦/૧૦/૨૦૦૯, શુક્રવાર, મધ્યરાત્રી - ૧૨.૩૦






--------------------------------------------------------------------------------



કેવળ સ્વસ્વરૂપ કેવળ મહાચિદાકાશ છે

My Self is My God

My Conciosness is My Realisation

My Bliss is My Perfection

I am Satchhidanada ABSOLUTE

Self Mahachidakash

If One Realises Me, Realises One's Own Real Self

I am Infinity, Eternity, Immorality, Reality

I am ALL, ALL am I Equality

I am Limitless, Partless, Light full of peace

I am All LOVE, I am all PLAY, I am all DIVINE

I am All BEAUTY, Iam All VISION, I am All DEPTH

I am All in All SUPREME Self of ALL

See Me And Be Self MAHACHIDAKASH

I am Omnipresence, Omniscince, Omnipotence

I am Satchhidanada ABSOLUTE



જય પ્રભુ

સચ્ચિદાનંદોહમ

નર્મદા, ૧/૦૮/૨૦૦૯

શનિવાર

Tuesday, June 15, 2010

જય પ્રભુ

જય પ્રભુ

જય પ્રભુ

ગુરૂગીતા 1


દ્રશ્ય અનુંભવાય છે દ્રષ્ટામાં

દ્રષ્ટા અનુંભવાય છે અનુભવપ્રકાશમાં

અનુભવપ્રકાશ છે અનંત શુદ્ધ ચિદાકાશ


"હું ચૈતન્ય છું આખુ અનંત એકજ ચૈતન્ય છે સ્વયં ચૈતન્ય જ ગુરૂ તત્વ છે"

જો હૈ સો હૈ

જય પ્રભુ

ગુરૂગીતા



પરમતત્વ પરમાકાશ - કૈવલ્ય - જો હૈ સો હૈ

કેવળ સ્વયં મહાચિદાકાશ સંપૂર્ણ પ્રકાશ

ભગવાન શંકર જગદંબા પાર્વતી ચૈતન્ય સંવાદ

ગુરૂગીતા

સ્વયં પૂર્ણબ્રહ્મ જ છે જુદું બીજું કંઇ જ નથી

સ્વયં પૂર્ણસ્વરૂપ પૂર્ણબ્રહ્મ સ્વયંસિધ્ધ જ છે

સ્વાત્મા અનંત સચ્ચિદાનંદબ્રહ્મગુરૂ સર્વત્ર સમાન ભરપૂર છે

સ્વયં મહાચિદાકાશ અનંત એક રસ જ છે

સ્વયં સચ્ચિદાનંદબ્રહ્મ અનંત એકરસ જ છે

આપણે ન પકડીએ તો કોઇ પકડાવે નહી; આપણે ન છોડીએ તો કોઇ છોડાવેય નહી

આત્મા જ શિષ્ય, આત્મા જ ગુરૂ, આત્મા જ પરમાત્મા

પોતે પકડે છે એ શિષ્ય, પોતે છોડે છે એ ગુરૂ, પોતે કેવળ પોતે છે એ પરમાત્મા

જો હૈ સો હૈ

Tuesday, March 23, 2010

રામનવમી

ભારતીય સંસ્કૃતિ અનુંસાર રામનવમીને દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. 'રામનામ' અદભુત સંજીવની છે, અમોઘ શસ્ત્ર છે, મહાન શક્તિ છે. માત્ર એકજ વખત 'રામ' બોલાઇ જવાય તો પણ અધમનો ઉદ્ધાર થઈ જાય છે. 'રામ' ને બદલે 'મરા...મરા...' બોલનારો વાલિયો લૂંટારો મહાન કવિ અને રામાયણનો રચયિતા મહર્ષિ વાલ્મીકિ બની ગયો ! સપ્તર્ષિઓએ આ રત્નાકર (વાલિયો લૂંટારા) ને 'રામનામ' નો મહિમા સમજાવ્યો અને ઉપદેશ આપ્યો કે તું રામનામનો જપ કર. તેના હ્રદયમાં રામનામની લગની લાગી ગઈ. તેના રોમ રોમમાંથી 'મરા...મરા...' નો જપ થઈ રહ્યો હતો. તેના શરીર પર માટાના રાફડા બંધાયા. સંસ્કૃતમાં રાફડાને 'વાલ્મીક' કહે છે, તેથી તેમનું નામ વાલ્મીકિ પડ્યું.

ભક્ત શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલને સદ્‌ગુરૂશ્રી ભલારામ મહારાજ દ્વારા ચૈત્ર સુદ નોમના રોજ રામનવમીને દિવસે પોતાના આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર કરાવતો ઉપદેશ આપ્યો હતો. શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલે પોતાના આ અનુંભવોને ભજનના સ્વરૂપમાં રજૂ કરેલ છે જે અત્રે પ્રસ્તુત કરતા ગર્વની લાગણી સાથે ધન્યતા અનુંભવુ છુ.

(રાગઃ ગણપતી આવ્યા શુદ્ધ બુદ્ધ લાવ્યા...............)

નવમીને દિન નવો અનુભવ આત્મારામ દર્શાયા ગુરૂ આત્મારામ દર્શાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

યોગી રામરસ પાયા ઘટઘટમાં શ્યામ દિખાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

દાનવવૃત્તિ દૂર કરાવી મનુશા દેવ કહલાયા ગુરૂ મનુશા દેવ કહલાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

લોહ હ્રદયમાં પારસ રૂપે કંચન શુદ્ધ બનાયા ગુરૂ કંચન શુદ્ધ બનાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

ગુરૂગમ ચાવી ખોલ્યાં અગમઘર દિલમાં દર્શન પાયા ગુરૂ દિલમાં દર્શન પાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

કીડી કુંજર ઘાટ બન્યા સૌ આતમ એક મનાયા ગુરૂ આતમ એક મનાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

પશુ પક્ષી સૌ જીવ જંતુમાં વ્યાપક દેવ દર્શાયા ગુરૂ વ્યાપક દેવ દર્શાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

ચુંથાભાઇ ભ્રમણા ત્યાગી અલખ પુરૂષ ઓળખાયા ગુરૂ પુરૂષ ઓળખાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા




શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ, જિંડવા

Thursday, February 11, 2010

ગુરૂ શિષ્ય સંબંધ

ઇશ્વર સર્જીત વિશ્વ સુવ્યવસ્થિત બ્રહ્મના નિયમાનુસાર ચાલે છે અને આ નિયમમાં ગુરૂ શિષ્યના સંબંધ રોપાયેલા છે. આ દિવ્યનો હુકમ છે કે જેઓ ઇશ્વરને ઇચ્છે છે તેઓએ સાચા ગુરૂ મારફત તેની સામે રજૂ થવું જોઇએ. ભક્ત જ્યારે ઇશ્વરને જાણવાની નિષ્ઠાપૂર્વક ઇચ્છા કરે ત્યારે ગુરૂ તેની પાસે આવે છે. ઇશ્વરને જાણતા ગુરૂ જ શિષ્યને વચન આપે છેઃ " હું તને ઇશ્વર સમક્ષ લઇ જઇશ". સદ્‌ગુરૂએ ઇશ્વર તરફનો માર્ગ મેળવેલો જ હોય છે; અને તેથી જ તે શિષ્યને કહી શકે કે મારો હાથ પકડ, હું તને માર્ગ બતાવીશ.

શિષ્યે પોતાની જાતને ઇશ્વરને જાણવા માટે તૈયાર કરવા જોઇતા શિસ્ત અને સદ્‌કાર્યના સિદ્ધાંતોને ગુરૂ-શિષ્ય સંબંધ આવરી લે છે. ગુરૂની મદદથી શિષ્ય જ્યારે પૂર્ણતા પ્રાપ્ત કરે છે ત્યારે દિવ્ય નિયમની પૂર્તિ થાય છે અને ઇશ્વર સાથે ગુરૂ તેની ઓળખાણ કરાવે છે.


માટે જ એક ભજનમાં કહ્યું છે કેઃ

મનજી સાંભળજો ધરી ધ્યાન સત્યના વિચારથી રે

જે હોય સદગુરૂના બાળ, તેને શ્રવણ મનન અધિકાર સત્યના વિચારથી રે

સદ્‌ગુરૂ હોય હજારે એક સત્યના વિચારથી રે

આપે કંઠી ને કાન, એવા ગુરૂ શું કરાવે ભાન સત્યના વિચારથી રે

દેહમાં દર્શાવે નિજ નામ સત્યના વિચારથી રે

આત્મા અનુભવમાં જે લાવે, એવા સદ્‍ગુરૂ ઇષ્ટ કહાવે સત્યના વિચારથી રે

ગુરૂએ બાળકનુણ નહી કામ સત્યના વિચારથી રે

તન મન માયાને વળી ધન સમર્પી પછી ભીડાવો હામ સત્યના વિચારથી રે

તારું મૂળ સ્વરૂપ સંભાળ સત્યના વિચારથી રે

લાભને ખાદ્ય ગુરૂની ધાર મનજી તારો પ્રેમ પગાર સત્યના વિચારથી રે

પ્રેમે ધર્મ સનાતન ધાર સત્યના વિચારથી રે

ચુંથારામ ગુરૂ નિહાળ પ્રેમે પ્રગટ પ્રભુજીને ભાળ સત્યના વિચારથી રે


=================================================

(ભજન સ્વ. શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ દ્વારા)

Sunday, February 7, 2010

સાચા ગુરુની વ્યાખ્યા


સ્વામી શંકર* આ રીતે ગુરુનું વર્ણન કરે છેઃ- "સાચા ગુરુની સરખામણી ત્રણેય લોકમાં થઇ શકે નહિ. જો ખરેખરે પારસમણીનો પત્થર, જે કહેવાય છે કે લોખંડને સોનામાં બદલી શકે છે, પરંતુ બીજા પારસમણીમાં નહિ. જ્યારે બીજી તરફ સદ્‌ગુરુ પોતાના શરણમાં આશ્રય લેતા શિષ્યને પોતાના સમાન બનાવે છે. તેથી જ ગુરુ અજોડ જ નહિ પરંતુ અગમ્ય છે

શ્રી શ્રી પરમહંસ યોગાનંદ, યોગદા સતસંગ સોસાયટી ઑફ ઇન્ડીયા/સેલ્ફ રિઅલાઇઝેશન ફેલોશિપના ગુરુ-સ્થાપકે કહ્યું છે કે "ગુરુ જાગ્રત ઇશ્વર છે, જે શિષ્યમાંના સુસુપ્ત ઇશ્વરને જગાડે છે, સહાનુભૂતિ તથા ઊંડા માનસદર્શન દ્વારા ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક રીતે દયાપાત્ર વ્યક્તિમાં ઇશ્વર પોતે દુખી થતો હોય તેમ સદ્‌ગુરુ જૂએ છે અને તેથી જ તેઓને મદદ કરવાની ફરજને આનંદદાયક અનુભવે છે. ભૂખ્યા કંગાળમાં ભગવાનને ખવડાવવાનો, અજ્ઞાનીઓમાં ઊંગતા ઇશ્વરને ઢંઢોળવાનો, દુશ્મનમાં રહેલ અચેત ઇશ્વરને પ્રેમ કરવાનો અને તીવ્ર ઉત્સુક ભક્તમાંના અર્ધજાગૃત ઇશ્વરને જગાડવાનો પ્રયત્ન કરે છે. આગળ વધેલ જીજ્ઞાસુમાં એ લગભગ પૂર્ણ પણે જાગ્રત ઇશ્વરને પ્રેમના મૃદુ સ્પર્શ વડે ત્વરીત જાગૃત કરે છે. સર્વ મનુષ્યોમાં ગુરુ ઉત્તમ દાની છે. ઇશ્વરની જેમજ તેની દાનશીલતાની કોઇ હદ નથી."

આમ પરમહંસ યોગાનંદજીએ વર્ણવ્યું હતું કે સદગુરુ અનંત સમજણ, અનંત પ્રેમ, સર્વવ્યાપક, સર્વને આવરી લેતી ચેતના છે. જે શિષ્યોને પરમહંસજીને જાણવાનું સદ્‌ભાગ્ય સાંપડ્યું હતું તેઓએ તેમનામાં આ ગુણોને પૂર્ણ પણે વ્યક્ત થતા જોયા હતા.



--------------------------------------------------------------------------------

*ભારતના મહાન તત્વજ્ઞાની તથા ભારતના પૂરાતન સ્વામી પરંપરાના સ્થાપક (૮ મી અને ૯ મી સદીની શરૂઆતમાં થયેલા) સ્વામી શંકર કે જેમાં સંત, વિદ્વાન અને કર્મયોગીના ગુણોનું ભાગ્યે જ મળતું ઐક્ય જોવા મળે છે.

ક્રમશઃ

Saturday, February 6, 2010

ગુરુ શિષ્ય સંબંધ

શ્રી મૃણાલિની માતા દ્વારા

(લોસ એન્જેલીસ(Los Angeles)માં ૭, જુલાઇ ૧૯૭૦ના રોજ Y S S/ S R Fની સુવર્ણ જ્યંતીના સમારંભમાં yogoda satsanga society of india (www.yssofindia.org) /Self Realization fellowshipના ઉપપ્રમુખે આપેલ પ્રવચન)

દિવ્ય નાટક ભજવવા માટે આપણને ઇશ્વરે આ સંસારમાં મોકલ્યા હતા. ઇશ્વરની પોતાની જ વ્યક્તિગત છબી રુપે ભણવાનો અને શિક્ષણ દ્વારા વિકાસ કરવાનો; અને સતત વિકાસ દ્વારા અંતે આપણા સાચા સ્વભાવને વ્યક્ત કરવાનો તથા ઇશ્વર સાથે ના ઐક્યની આપણી મૂળ સ્થિતિમાં પાછા ફરવાનો એકજ હેતુ આપણા જીવનનો છે.

આપણે જ્યારે બાળક આત્માઓ રુપે મર્ત્ય સાહસની શરુઆત કરીએ છીએ, ત્યારે પ્રથમ ભૂલ અને અજમાયશ (Trial and Error)ના અનુંભવો દ્વારા જ્ઞાન મેળવીએ છીએ. આપણે કર્મ કરીએ છીએ અને જો તે સારા પરિણામો આપે તો તે જ કર્મ ફરી ફરીને કરીએ છીએ. પરંતુ અમુક કર્મ જો આપણને દુઃખ આપે તો તે કામને ટાળવા આપણે સંઘર્ષ કરીએ છીએ.

પછી, આપણે બીજાઓના દાખલા વડે ફાયદો મેળવવાનું શીખીએ છીએ. આપણે આપણા કુટુંબ, મિત્રો અને આપણા સમાજમાંના લોકોની વર્તણુકનું નિરીક્ષણ કરીએ છીએ અને તેઓની ભૂલો તથા સફળતાઓના પૃથ્થકરણ દ્વારા ફાયદો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ.

સત્ય માટેના વિનમ્ર સંશોધનોની શરુઆત કરવાનો સમય આપણા માટે આવે નહી ત્યાં સુધી, આપણા મર્ત્ય જીવનની ઊંડી સમજની ખોજમાં આપણા અનુભવો આપણ્ને સતત આગળ દોરતા રહે છે. જે મનુષ્યની ચેતના આ બિંદુ સુધી ઉત્ક્રાંતિ પામે છે તે પોતાની જાતને પૂછે છેઃ "જીવન શું છે?" (What is life?), "હું કોણ છું?" (Who am 'I'?), હું ક્યારે આવ્યો? અને પરમાત્મા આવા જિજ્ઞાસુને તેની સમજણ માટેની પ્રાથમિક તરસ મટાડે તેવા શિક્ષક તરફ કે ધાર્મિક અને આધ્યાત્મિક પુસ્તકો તરફ દોરી જાય છે. જ્યારે તે બીજાના જ્ઞાનમાંથી ગ્રહણ કરે છેત્યારે તેની સમજણ વિકસે છે અને તેની આધ્યાત્મિક ઉન્નતિ ઝડપી થાય છે. તે સત્ય કે ઇશ્વર તરફ થોડો નજીક જાય છે.

અંતે આ જ્ઞાન પણ અપૂરતું રહે છે. ત્યારે તે સત્યની વ્યક્તિગત અનુભૂતિ માટે તરસે છે. તેનો અંતરાત્મા વિચાર કરવા પ્રેરે છે કેઃ "આ સંસાર ખરેખર મારુ ઘર નથી! હું ખરેખર આ ભૌતિક દેહ નથી; આ ફક્ત હંગામી પાંજળું હોઇ શકે. મારી ઇન્દ્રિયો જે અનુભવે છે તેના કરતાં આ જીવન કાંઇક વધુ હોવું જોઇએ, મૃત્યુથી પેલે પાર કાંઇક અસ્તિત્વ ધરાવે છે. મેં સત્ય વિશે વાંચ્યું છે; મેં સત્ય વિશે સાંભળ્યું છે; હવે મારે તેને જાણવું જોઇએ."

તેના બાળકના દુઃખના રુદનનો જવાબ આપવા આપણા દયાળુ ઇશ્વર જ્ઞાની શિક્ષકને મોકલે છે કે જેણે પોતાના "સ્વ"ની અનુભૂતિ કરી હોય અને જે પોતે બ્રહ્મ છે તેવું જાણતો હોય(સદ્‌ગુરુ).

આવા ગુરુનું જીવન દિવ્યની વિશુદ્ધ અભિવ્યક્તિ છે


(ક્રમશઃ)