જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Thursday, February 3, 2011

શીખ

સમજુને શીખ શું દઇએ ડાહ્યાંના દિલમાં દુઃખ લાગેરે

નિર્લેપ વાણી ઉચ્ચરીએ ડાહ્યાંના દિલમાં દુઃખ લાગેરે

ગુણોથી પર ગુણાતિત કહેવાય

નયનોમાં નિજ સ્વરૂપ ઓળખાય

અરૂપને રૂપમાં શું લઇએ ડાહ્યાંના દિલમાં દુઃખ લાગેરે

મોહે ભરેલાં દ્રશ્યો દેખાય

ઝાકળ જળ જેમ ઉડીરે જાય

ચુંથારામ જગ ભ્રહ્મ ભરાય (દેખાય) ડાહ્યાંના દિલમાં દુઃખ લાગેરે

No comments: