જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Thursday, February 3, 2011

નિર્મળ બની નહી કાયા

કરી જાતરા જીવ ભરમાયા તોયે નિર્મળ બની નહી કાયા

ગણા મંડપ મેળાવડા રચાયા તોયે એવા ને એવા જણાયા

પંચ વિષયના પ્યાર

નથી છુટતા લગાર

ગંગા યમુનાના નિરમાં નાહ્યા તોયે નિર્મળ બની નહી કાયા

સુણ્યાં પોથી પુરાણ

તોય રહ્યા અજાણ

સાત દિવસ સપ્તાહમાં ગુમાવ્યા તોય એવ ને એવા જણાયા

લાગ્યો પુરુષોત્તમે રંગ

જાણ્યો મેશ્વો નદી ગંગ

ગંગા નદીમાં દિવડા જગાવ્યા તોય એવા ને એવા જણાયા

તિલક માળાનો ને'મ (નિયમ)

તોય મનમાં ગણો વ્હેમ

કંઠે તુલસીના મણકા લગાવ્યા તોય નિર્મળ બની નહી કાયા

મળ્યા સદ્‍ગુરૂ દેવ

કરી ચરણની સેવ

ચુંથારામ પુરણ મનોરથ પાયા પછી હરખે ગુરૂના ગુણ ગાયા

No comments: