Know ThySelf is a way to share our spiritual thoughts. To know oneself is neither easy nor difficult. The only thing is to think with the true sight. Devotional Songs; AMRUTBINDU ("અમૃતબિંદુ") & SHABD-SMRUTI ("શબ્દ-સ્મૃતિ") lead us to the unexplored region of sacred emotions where we can realize ourselves. Its the only way to experience oneself, of course the "real Experience" which should only be the GOAL of our life.....
જય પ્રભુ
Monday, December 27, 2010
અવશર
મોજીલા મનવા આજ તમારે સત્વના સંચિત ફળીયા
લાખેણો અવશર આવેલો શીદ જવા દ્યો છો
મોજીલા મનવા જગતની ફિલ્મે ફસાઇ રહ્યા છો
મોજીલા મનવા સંસાર શારડીએ શીદ શેરાવ છો.... હરી ભજવા....
બુદ્ધિના બુઠા બાવળીએ બાથ ભીડી રહ્યા છો
મોજીલા મનવા માયા બંધને બંધાઇ જાવ છો...... હરી ભજવા......
અજ્ઞાને મારુ માનીને ભર્મે ભુલ્યા છો
મોજીલા મનવા મૄગજળના પાણી પીવા જાવછો...હરી ભજવા.......
નિજ સ્વરુપ તજીને દ્રશ્યના રુપમાં મોહ્યા છો
મોજીલા મનવા ચુંથારામ જીતી બાજી શીદ હારો....હરી ભજવા...
Saturday, December 4, 2010
ભુલી ગયો ભગવાનને
જીવ જુવાનીના જોરમા, પૈસાના તોરમાં, ભુલી ગયો ભગવાનને
તારા મનથી માને કે હું મોટો,
તારી પાસે ક્યાં બુદ્ધીનો તોટો
રહ્યો ગાફેલને વાળ્યો છે ગોટો લ્યા માનવી ભુલી ગયો ભગવાનને
પડ્યો પાંચ વિષયની પૂઠમાં,
ખોવા માંડ્યું આખુ જીવન જૂઠમાં,
તેથી સાચુ ના આવે સમજણમાં લ્યા માનવી ભુલી ગયો ભગવાનને
મન માંકડુ થેકડા મારતુ,
જાય ઉકરડે જરી સંભાર તુ,
ખરુ સાધન શુ છે એ ખોળ તુ લ્યા માનવી ભુલી ગયો ભગવાનને
ભૂંડા વિચારી જોને તુ વાયદો,
પ્રભુ નહી ભુલુ તેવો કર્યો વાયદો,
છુટો થયો ત્યારે પડી ગયો માંદો લ્યા માનવી ભુલી ગયો ભગવાનને
ઘણું કહ્યુ છે ગાંઠે બાંધ તું,
ચુંથારામ ભ્રમણાને છોડ તું
સત્ સાધનની સીડીએ ચડ તુ લ્યા માનવી ભુલી ગયો ભગવાનને
Thursday, December 2, 2010
ભક્ત
તેના સ્મરણથી રે નાસે જનમોના પાપો કે આત્મામાં પ્રીતિ જાગશે.
તેની વાણીમાં વસી રહ્યોરે મોરાળી કે સતસંગીને સુખ આપશે રે
તેના દર્શનથી દુઃખ દરિદ્ર નાસે કે ભવનાં બંધન કાપશે રે
તેના સહેવાસથી ભવ રોગ મટાડે કે આતમ જ્યોત જગાવશે
તેના શરણે પડેલાને નકરો બનાવે કે ચુંથારામ ભેગો ભરાઇ જાશે.
સોના સરીખો સૂરજ
મુજને સહેજે મળ્યા ગુરૂદેવ, મારે સોના સરીખો સૂરજ ઉગીયો
મેં તો શાંતિ ઘડુલે શ્રીફળ મુકીયાં
મેં તો સંતો તેડવ્યા આનંદભેર, મારે સોના સરીખો સૂરજ ઉગીયો
મેં તો મંડ્પ રોપાવી તોરણ બાંધીયા
માર હૈયામાં હરખ ના માય, મારે સોના સરીખો સૂરજ ઉગીયો
કંકુકેસરની ભરી રે કંકાવટી
ચૌવા ચંદનને ફુલડાનો હાર, મારે સોના સરીખો સૂરજ ઉગીયો
મેં તો ચરણ ધોઇ ચરણામૄત પી લીધાં
મારો સફળ બન્યો અવતાર, મારે સોના સરીખો સૂરજ ઉગીયો
પૂજન વિધિ પરવારી ભોજન આપીયાં
મારા મનનો પીરસાવ્યો મોહનથાળ, મારે સોના સરીખો સૂરજ ઉગીયો
મેં તો અગમ નિગમના પાસા ઢાળીયા
ચુંથારામ રમે સદ્ગુરૂ સાથ, મારે સોના સરીખો સૂરજ ઉગીયો
Saturday, July 24, 2010
ગુરુ પૂર્ણીમા
અષાઢ સુદ પુનમનો પવિત્ર દિવસ ગુરુ પૂર્ણિમા જે આદિ- અનાદિથી મનાવવામાં આવે છે, સનાતક વૈદિક હિન્દુ ધર્મમાં ગુરુ પરંપરા ભગવાન નારાયણે જયારે સૃષ્ટીનો આરંભ કર્યો ત્યારથી શરુ થયેલી છે. નારાયણ જ આદિ ગુરુ છે, અને નારાયણ જ વેદ- વ્યાસ થઈને પ્રગટ થયા (જેમણે યજૂર્વેદ, સામવેદ ઋગ્વેદ અને અથર્વેદ એમ ચાર વેદોનું સંકલન કર્યુ હતુ માટે તે વેદ-વ્યાસ તરીકે પ્રસિધ્ધ થયા) માટે આને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. ગુરુ પૂર્ણીમા એટલે ગુરુ (વડીલો) પ્રત્યેનો ૠણ ભાવ વ્યક્ત કરી, અહોભાવથી વંદન કરી ગુરુ મહિમા ગાવાનો શુભ અવસર. (સંસ્કૃત: गुरु) શબ્દએ બે શબ્દો, 'ગુ'(અંન્ધકાર) અને 'રુ'(પ્રકાશ)ની યુતી છે. આમ ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારી શકિત. વ્યવહારીક દ્રષ્ટિએ શિ઼ક્ષક અથવા માર્ગદર્શકને પણ ગુરુ તરીકે સંબોધવામાં આવે છે.
સચ્ચિદાનંદ પરમહંસ (જય પ્રભુ) કહે છે કે
જગતના તમામ ગુરુઓ કરતા
અનંત ગણો મહાન છે"
(સદગુરુ)
શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ ગુરુ (સદગુરુ) નો મહિમા ગાતા કહે છે કે..................
(રાગઃ આ સંસાર મુસાફિર ખાનું..........)
ગુરુની ગાદી ર્હદય કમળમાં નિત નિત દર્શન થાય સુરતા આનંદે લહેરાય સુરતા આનંદે લહેરાય
પ્રભાત સમયમાં વ્હેલા ઊઠી, ગુરુ ચરણમાં ચિતને રોપી
સાધક જનની શુધ્ધ મનેથી ગુરુની નમની થાય સુરતા આનંદે લહેરાય (૨)
હરિગુરુ સંત સ્વરૂપે ફરતા, પરખી જોતાં પાતક હરતા
ધર્મ નીતિ વિવેક સમર્પી શુધ્ધ બનાવે કાય સુરતા આનંદે લહેરાય (૨)
ભગવદ ભાવ ભરોસો ભારી, સંત શ્બ્દમાં દ્ર્ઢતા ધારી
અદેખાઇની અગ્નિ ટાઢી શિતળ જેવી થાય સુરતા આનંદે લહેરાય (૨)
અમી ભરેલાં નયનો જોઇ, સૌ કોઇને મન અચરજ હોઇ
હસતા મુખડે અમૃત સરખી વાણીથી સુખ થાય સુરતા આનંદે લહેરાય (૨)
જગત નિયંતા જગથી ન્યારો ગુરુગમથી પોતામાં ભાળો
અંતરથી તન મનથી ચુંથારામ જાણી લો જગરાય સુરતા આનંદે લહેરાય (૨)
--------------------------------------------------------------------------------
મારે ધડપર ગુરુના શિશ હવે કાચી કલ્પના કેમ થાયે
મારે સમરથ ગુરુ જગદિશ હવે કાચી કલ્પના કેમ થાયે
સુરતા છોકરી ઢીંગલે રમતી બાળપણાની રીત
સમય જાતાં સમજણમાં આવી વિવેકે રંગ્યા ચિત હવે કાચી કલ્પના કેમ થાયે
શરીર હું નહી સગુણ રૂપે ગુરુજી તણો દિદાર
ધર્મનીતિનું પાલન કરવા સ્વિકાર્યો સંસાર હવે કાચી કલ્પના કેમ થાયે
વસ્તું માથી પરમ વસ્તું જાણી લીધી નિર્ધાર
અમીરસ ઘૂંટડો ગળે ઉતરીયો તુરંત થયો પ્રકાશ હવે કાચી કલ્પના કેમ થાયે
સદગુરુ શબ્દે સુરતા ચાલી નિજપદમાં નિર્ધાર
દાસ ચુંથારામ સદગુરુ સંગ ભરતાં ભવનો બેડો પાર હવે કાચી કલ્પના કેમ થાયે
--------------------------------------------------------------------------------
વારી વારી ગુરુજી બલિહારી રે
મારા ર્હદય બગીચાના માળી ગુરુજી બલિહારી રે
કુણા અંકુરે જ્ઞાન પાણી પોશિયા રે
કાંટા કાકળા વળાવ્યા વાડી ઓપી ગુરુજી બલિહારી રે
કીધી સડકો સાહેબ દરબારની રે
ચાર ચૌટાની બાવન બજારી ગુરુજી બલિહારિ રે
કીધી બોંતેર બેઠકની બંગલી રે
ત્યાં ગાદી ગુરુની રંગ પ્યારી ગુરુજી બલિહારી રે
ફૂલ ખીલ્યાં ચાદર નવરંગની રે
ગુરુ છેલ છબીલો વનમાળી ગુરુજી બલિહારી રે
જાણે વિજળી ગગનમાં ઝબકી રે
દાસ ચુંથારામે નયને પરખી ગુરુજી બલિહારી રે
--------------------------------------------------------------------------------
ગુરુજી ખેવટીયા પાર કરો નૈયા ભવસાગરની માંય પાર ઉતારો ને
પકડો બલૈયા, સાગર તરૈયા, સંસાર સાગર માંય પાર ઉતારો ને
સંસાર સાગર મહાતોફાની ગહેરાં ગંભીર પાણી
મોજાં ઉછાળે રવ રગદોળે તરંગો જાયે તાણી
દોરી સોપી ગુરુના કર માંય પાર ઉતારો ને
કડવા, તીખા ખારા, ખાટા શબ્દો મગર તોફાની
ઇર્ષા તૃષ્ણા લાલચ આશા લાંબી ચાંચો ફાડી
ઘેરો ઘાલી કરે ઘમસાણ પાર ઉતારો ને
નૌકા મધ્યે ગુરુ દયાથી સ્થિરતા સ્થંભ રોપાવી
નિવૃત્તિ શઢમાં જ્ઞાન પવનની ચોટો જબળી લાગી
ચુંથા નાવ ચલી સડસડાટ પાર ઉતારો ને
--------------------------------------------------------------------------------
ગુરુજીની જુક્તિમાં આવિચળ વાણી
અવિચળ વાનીનો પડઘો લગ્યો રસ ઘેલી સુરતા સાસરીયે ચાલી
સખીઓનો સંગ છોડી જાવું નિર્વાણે
અનવય અનામી લાગ્યો મીઠો રસ ઘેલી સુરતા સાસરીયે ચાલી
વિવેક વિરોજી આવ્યા સુરતા વળાવવા
ઝાંપે જગદીશનો માફો દીઠો રસ ઘેલી સુરતા સાસરીયે ચાલી
માફામાં સુરતા બેની વિરે પધરાવ્યા
ચૌવા ચંદનનો ચાંદો ચોડ્યો રસ ઘેલી સુરતા સાસરીયે ચાલી
અનહદ પૂરીના વાજાં નોબતો વાગી
ચુંથારામ મોક્ષ દરવાજો ખુલ્યો રસ ઘેલી સુરતા સાસરીયે ચાલી
--------------------------------------------------------------------------------
ગુરુજી રણબંકા રાજ મેઘ અષાઢી
મોર નાચેને ચલ્લી પાંખ પ્રસારે રાજ બપૈયા બોલે
જ્ઞાનની ધારા વૃષ્ટી વરસવા લાગી
પત્થર ર્હ્દયની ભુમી પોચી બનાવી રાજ બપૈયા બોલે
ચોખા બનેલા ક્ષેત્રે બીજ વવાયાં
અંકુર ફુટીને ડળે પાંદે છવાયાં રાજ બપૈયા બોલે
ગુરુની કૃપા દ્રષ્ટીથી પુષ્પો રે ખીલશે
પુષ્પો ખીલીને પાકાં ફળ અનૂભવશે રાજ બપૈયા બોલે
પૂર્વના પૂન્યે મળીયા ગુરુ ભલાભાઇ
ચુંથારામ ર્હ્દયમાં દિવડો ઝગમગ ઝગાવ્યો રાજ બપૈયા બોલે
--------------------------------------------------------------------------------
ગુરુ રસિયા પુરણ કામ ગુણના ધામ ગુરુજી હમારા દીનોના તરણહારા
ગુરુ જ્ઞાનની ગોળી આપે છે,
મહારોગ સમૂળો કાપે છે
રગરગમાં જ્યોતિ તેજ તણા ધબકારા દીનોના તારણહારા
મુક્યુ નામનું નસ્તર સુખકારી,
મારી અંતર વેદના સૌ ટાળી
પરઉપકારી ગુરુ સમરથ વૈદ હમારા દીનોના તારણહારા
ગુરુ નયનોમાં નયન મિલાવ્યા કરું
ગુરુ ચરણોમાં શિશ જુકાવ્યા કરું
દાસ ચુંથારામના હૈયે અમૃત રસની ધારા દીનોના તારણહારા
Sunday, July 18, 2010
ભવજળ
ભાન ભુલ્યો કે હું કોણ છું ભજન વિના ભવ ભટક્યો રે
જાળવી જાણી નહી જાત્રા કલેશ દૂર નવ કર્યો રે
કાયા દમીને ક્લેશ વ્હોરીયા સમજણ દૂર સહી ગઇ રે
ઝીણાં ઝીણાં જીવડાંને જાળવે જાણે કે કલ્યાણ કરીએ રે
તીર તાકે માણસના તૂંબડા ઇર્ષા અગ્નિ જળહળે રે
ગળાં રહેંશીને ભેગુ કરીયું ના ખર્ચે ના વાપરે રે
પાપનો બાંધીને બચકો નરક પંથે જઇ ચઢ્યો રે
પ્રપંચે પટલાઇ ડહોળવા ઊંધું બોલે જાણી જોઇ રે
લાંચ ખાધાના છે લાલચુ ચોરાશીમાં ડૂબી મરે રે
હરિનું ભજન કરી હારિયો કહે છે કે નવરાશ નથી રે
રખડવું રઝડવું ગામમાં ઉંમર આખી ખોઇ નાખી રે
ઠઠ્ઠા બાજીમાં છે ઠાવકા બહેકેલા બોલે તાણી તાણી રે
કહે ચુંથારામ શી ગત થાશે લેવાશે લેખાં પળપળનાં રે
--------------------------------------------------------------------------------
ભવજળ તરવા ઉમંગે હરિ ભજીએ મારા પ્રેમીઓ
વિષય સુખમાં રચ્ય પચ્ય શીદ રહીએ રે સોહાગી મનવા...... મોંઘો મનુષ્ય જનમ ફરી ફરી નહી પામીએ
સંતસમાગમ દેવોને દુર્લભ કોડે કોડે કીજીએ
ભજન ભુલાવે તેવાનો સંગ તજીએ રે સોહાગી મનવા...... મોંઘો મનુષ્ય જનમ ફરી ફરી નહી પામીએ
વણમતીયા દુનિયાની વાદે ફોગટ ફેરા શીદ ફરીએ
હરિ ભજન કરી જન્મ સફળ કરી લઇએ રે સોહાગી મનવા...... મોંઘો મનુષ્ય જનમ ફરી ફરી નહી પામીએ
રૂડું કરતાં કુંડું કહે તેવા દુરિજનિયાંથી શીદ ડરીએ
અંતરમાં સમરીએ સુંદર શ્યામ રે સોહાગી મનવા...... મોંઘો મનુષ્ય જનમ ફરી ફરી નહી પામીએ
કરજોડીને કહેછે ચુંથારામ સમરો સીતારામને
પળઘડી નવ રાખો ન્યારા નાથ રે સોહાગી મનવા...... મોંઘો મનુષ્ય જનમ ફરી ફરી નહી પામીએ
Thursday, July 15, 2010
આત્મજ્ઞાન
(રાગઃ મારા માંડવે નાગરવેલ છાયી રે માંડવો ......)
જેઓ મન કર્મ વચને પ્રભુ પરાયણ રહેશે રે તેને આત્મજ્ઞાન થાય
એક જ કલાક માળા ફેરવે ત્રેવીસ કલાક રખડે રે
માયાનાં મીઠાં મધ સુખ છોડે રે તેને આત્મજ્ઞાન થાય
સગાં વ્હાલાંની ખુશામતમાં ભવનાં બંધન બાંધે રે
અમુલ્ય સતસંગનો સેવનારો રે તેને આત્મજ્ઞાન થાય
લોકડીયાંનાં મ્હેંણાં ટેણાં સહન કરતાં શિખે રે
કોઇનું અપમાન કરવું એ પોતાનું માને રે તેને આત્મજ્ઞાન થાય
સર્વ સ્થુલે વ્યાપી રહેલો સમ દ્રષ્ટીમાં દરસે રે
ચુંથારામ જેના ચિતમાં આનંદ વરસે રે તેને આત્મજ્ઞાન થાય
Wednesday, July 14, 2010
ગુરૂ વચન
ખોટો ડોળ ના કરીએ ગુરૂમુખ બાનું ધારી રે
મળ્યા સદ્ગુરૂ દેવ સમજણ આપી સારી રે
લીધી પાંચ પ્રતિજ્ઞા હાથમાં જળ ધારી રે
તન મન અર્પણ કરીયાં સંતોની સાક્ષી ધારી રે
બોધ સ્વરૂપનો કરીયો વિશ્વાસપાત્ર ધારી રે
આપ્યાં વચન તે ચુક્યા વિષયે વૃત્તિ વારી રે
માન મોટાઇમાં મમતા અહમ ભરીયો ભારી રે
કુડ કપટ પ્રપંચ દગો દિલ ધારી રે
રૂણ પરનાં પચાવ્યાં, વૈભવે મોંજ માણી રે
વાણી, વલોણોમાં ગુમ્યા તત્વ નહિ તરીયાં રે
સાચા સંતોની વાણી વર્તન નથી જરીએ રે
પૂરા ગુરૂ છગનરામ રહેણી વેવણ વણીયાં રે
પરાંણ વચનમાં વરીયા એતો ભવ જળ તરીયા રે
----------------------------------------------------------------
(રાગઃ મારા માંડવે ઉડે રે ગુલાલ (૨).........)
ગુરૂ વચને ગળીયાં છે મન ગુરૂ વચને ગળીયાં છે મન..
ત્રિવિધના તાપો ટળીયાં મનના હો રામ
માળી અમને ગુરૂગમની શાન, મળી અમને ગુરૂગમની શાન..
ગુરૂગમ ચાવીએ તાળાં ખોલીયાં હો રામ
ખોલી દીધાં અગમઘરનાં દ્વાર, ખોલી દીધાં અગમઘરનાં દ્વાર..
અગમ સુગમે સાયબો શોભતા હો રામ
જાણી લીધી જીવાભાઇની જાત, જાણી લીધી જીવાભાઇની જાત..
ગુણની ગાદીએ જીવો શોભતા હો રામ
જોઇ લીધાં માયાનાં રૂપ, જોઇ લીધાં માયાનાં રૂપ..
રૂપના રૂષણે માયા મ્હાલતી હો રામ
રૂપ ગુણે ભળ્યો રે ભંડાર, રૂપ ગુણે ભળ્યો રે ભંડાર..
અનામીના નામે નક્કી કરીયો હો રામ
તુટી પડ્યા માયાના મહેલ, તુટી પડ્યા માયાના મહેલ..
ગગનગીરાએ તંબુ તાણીયા હો રામ
છુટી ગયો કર્તાપણાનો ભાવ, છુટી ગયો કર્તા પણાનો ભાવ..
અકર્તાના ઘરે પગરણ માંડીયા હો રામ
પૂર્ણ પદ પરખાવ્યું રે નિર્વાણ, પૂર્ણ પદ પરખાવ્યું રે નિર્વાણ..
અગમઘરના ભેદુ સંતો ભેટીયા હો રામ
શોભે સુંદર સાધારામની જોડ, શોભે સુંદર સાધારામની જોડ..
છગનરામની શાને સંસય ટળીયા હો રામ
આનંદ સાગર છલકાઇ જાય, આનંદ સાગર છલકાઇ જાય..
પરાંણ પરાની પાળે મ્હાલતા હો રામ
---------------------------------------------
Authored By:
Shri Palabhai Chunthabhai Patel, Jindva
Tuesday, July 13, 2010
ભક્તિ માર્ગ
અમે સંતોના વચને ચાલ્યા રે આ ભજનધૂન લાગી છે
અમે સંતોની સમશેર જાલી રે આ ભજનધૂન લાગી છે
અમે સઢ રીપું સંહાળ્યા રે આ ભજનધૂન લાગી છે
અમે મમતાના મૂળ બાળ્યા રે આ ભજનધૂન લાગી છે
અમે જૂઠની જડમૂળ કાઢી રે આ ભજનધૂન લાગી છે
અમે જગથી જુદા ઠરીયા રે આ ભજનધૂન લાગી છે
અમે સંતો ભેગા ભળીયા રે આ ભજનધૂન લાગી છે
અમે દુરીજનથી ના ડરીએ રે આ ભજનધૂન લાગી છે
અમે સાકૂટ સંગના કરીએ રે આ ભજનધૂન લાગી છે
અમે ભક્તિ ભજનભાવ ધરીએ રે આ ભજનધૂન લાગી છે
અમે સંતોની સંગત કરીએ રે આ ભજનધૂન લાગી છે
શિર ગુરુ છગન કર ધરીયો રે આ ભજનધૂન લાગી છે
દાસ પરાંણ ભજનમાં ભરીયો રે આ ભજનધૂન લાગી છે
-----------------------------------------
ભક્તિ માર્ગ છે પાધરો રે
સાચા શૂરવિરનો સંગ્રામ હો લાલ ભક્તિ માર્ગ છે પાધરો રે
પ્રથમ દાનવવૃત્તિ દૂર કરીને
લેવો માનવ જીવનનો લ્હાવો હો લાલ ભક્તિ..... (ટેક)
સત્ય, નીતિ, દયા ઉર ધારીને રે
કરવો સાચા સંતોનો સંગ હો લાલ ભક્તિ......
સંતની સેવાથી સુખડા સાંપડે રે
રીજે સદ્ગુરુ દીનદયાલ હો લાલ ભક્તિ.....
તન, મન સાંપીને સદ્ગુરુ સેવીએ રે
ગુરુજી આપે અભય વરદાન હો લાલ ભક્તિ....
પરવાનો મેળવીને પંથે ચાલીએ રે
રોકી શકે ના કોઇ બારે વાટ હો લાલ ભક્તિ.....
જગમાં જળ કમળવ્રત ચાલીએ રે
માયા રંગના લાગે લેશ હો લાલ ભક્તિ.....
જગમાં રહેવુંને વર્તન જૂજવા રે
જગલાં જાણી શકેના ભેદ હો લાલ ભક્તિ......
સાચા ગુરુ છગનરામ સેવતાં રે
પરાંણ પતિત પાવન થઇ જાય હો લાલ ભક્તિ.......
------------------------------------------------
શ્રી પલાભાઇ ચુંથાભાઇ પટેલ, જિંડવા
વિરાજી
વાતે વડાં કીધાં રે ભૂખ કેમ ભાગશે રે જી
જમ્યા વિના તો તૃપ્તિ કદીએ નહિ થાય
એવી ચિતરામણની ચકલી રે વિરાજી તૃષા કેમ છીપશે રે જી
સતસંગતમાં બેઠા રે સંસયના શુર શાલતા રે જી
ઇર્ષા અગ્નિ હોળીનો ભડકો ભડભડ થાય
એવી કગમતીએ કરણી રે વિરાજી વાલમ વેગળા રે જી
હરી ભજનમાં બેઠા રે જગ વાતે મનડાં મ્હાલતાં રે જી
ધનની લાલચ લબકારે મનડાં જોલા ખાય
એવા આશાના ઉમળકારે વિરાજી મહેનત માથે પડે રે જી
ગુરૂની કંઠી પહેરી રે તનમન શબ્દે સાંપીયાં રે જી
સત્ય સમજ વિના શાંતિ કદીએ નહિ થાય
અંતરપટ નવ ખોલ્યો રે વિરાજી ઉદ્યમ અવરગતિ રે જી
આપમતિએ ઉજળા રે કર્મોના ભરીયા કોથળા રે જી
અહમના હિલોળે ઊંધુ ચત્તું થઇ જાય
ડગમગ નૌકા ડોલે રે વિરાજી ભવમાં ડુબશો રે જી
એવા પરઉપકારી સંતો રે દુખિયાના દુખડા કાપશે રે જી
એવા સંતો જગમાં ભવતારણ ભગવાન
એવા સાચા સુખને ચાહો રે વિરાજી સેવીએ રે જી
એવા ગુરુ છગનરામ મળીયા રે પરાંણભાઇ શરણું સેવીએ રે જી
એવા પૂરણ પૂરૂષનૂ શરણું રે કેમ વાકો થાય વાળ
એવા ગુરૂના હુકમે હાલો રે વિરાજી ભટકણ ભાગશે રે જી
===================================================
Authored by:
Shri Palabhai Chunthabhai Patel
Jindva, Ta. Dehgam, Dist. Gandhinagar
મનવાભાઇ
મનવા કરીલે વિચાર, સત્ય ધર્મ સંભાળ
શિર પર જુકી રહ્યો કાળ, જવુ પડશે નિર્ધાર
આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે
આપણે સાચા સંતો સંગ ભવ તરીએ રે
મોંઘો મનુષ્ય અવતાર, નહિ મળે વારંવાર,
અવશર અફળના જાય, મનખો સફળ થઇ જાય,
આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે
સંસાર સ્વપ્ન સમાન, વિતી જાતાં નહિ વાર,
છોડી જગની જંજાળ, હેતે હરીને સંભાળ,
આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે
ખલક જગના સૌ ખેલ, મનવા મારું તારું મેલ,
તોડો આશા અમરવેલ, ટળે ચારે ખણી જેલ,
આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે
અઘળી વાતો થાય સહેલ, ટળે મનડાના મૅલ,
કરીએ ભક્તિમાં પહેલ, ચક્કર ચૉરાશીનાં ફેલ,
આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે
પાંચે તત્વે પ્રકાશ, પિંડે બ્રહ્માંડે વાસ,
ખોજ કરી લ્યોને ખાસ, પ્રગટે પોતાની પાસ,
આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે
ગુરૂ છગનરામ શિર ધાર, વૃત્તિ વચનમાં વાળ,
સેવા સંતોની સ્વિકાર, પરાંણ પ્રભુજી નિહાળ
આવો ને મનવાભાઇ આપણ સતસંગ કરીએ રે
==============================================
Authored by:
Shri Palabhai Chunthabhai Patel
Jindva, Ta. Dehgam, Dist. Gandhinagar
Monday, July 12, 2010
સદગુરુની શાન
સજીએ સદગુરુની શાન તજીએ માનને ગુમાન,
અહમતા મમતા ત્યાગ કરીને મનની મટકી ફોડીએ,
ભજીએ ભવતારણ ભગવાન તજીએ માનને ગુમાન.
કરમ ભરમના મોહ જંજાળો ગુરુના શબ્દે તોડીએ
કરીએ નીજ સ્વરૂપનું ભાન તજીએ માનને ગુમાન.
એક રૂપ જગ વ્યાપક ભરપૂર અનુંભવ આંખે દેખીએ,
અહંકાર ઓઠે રહ્યો ભગવાન તજીએ માનને ગુમાન.
ખોજ કરીલે દિલની અંદર તનનો તાપ મીટાવી દે,
ચુંથારામ ગ્રહી લઇએ ગુરુ જ્ઞાન તજીએ માનને ગુમાન
સજીએ સદગુરુની શાન તજીએ માનને ગુમાન
મનની મહેલાતો
મનની મહેલાતો તારા મનમાં રહી જાશે
ઓંચિંતાં તેડા થાશે જંજાળીયા મનની મહેલાતો તારા મનમાં રહી જાશે
દ્રષ્ટીના દોષતો ભોગવવા પડશે
નયનોનાં નખળાં નડશે જંજાળીયા મનની મહેલાતો તારા મનમાં રહી જાશે
દુઃસંગ ત્યાગજે ને સતસંગ રાખજે
હરખે હરિના ગુણ ગાજે જંજાળીયા મનની મહેલાતો તારા મનમાં રહી જાશે
સદગુણ શોધી ગાડાં ભરી લાવજે
દુર્ગુણથી દુર રહેજે જંજાળીયા મનની મહેલાતો તારા મનમાં રહી જાશે
ભજન સતસંગમાં વ્હેલો વ્હેલો આવજે
ચુંથારામ ગુરુ શરણ રહેજે જંજાળીયા મનની મહેલાતો તારા મનમાં રહી જાશે
જીવરામભાઇ
દેહતો છોડીને જાવું પડશે જીવરામભાઇ
કર્મોનો વિપાક લેવો પડશે જીવરામભાઇ
કાંઇક વાચિક માનસિકથી જે જે કર્મો થાતા
તે તણો જવાબ દેવો પડશે જીવરામભાઇ
કાયાથી કોઇ હિંસા થાય મનથી કોઇનું દિલ દુભાય
વાણીમાં બોલેલુ સામું મળશે જીવરામભાઇ
નીતિ અનીતિ સામે જૂઠા જે જે વર્તન થાતાં
ચોખ્ખે ચોખ્ખો હિસાબ દેવો પડશે જીવરામભાઇ
સાચાને મળશે સંપત્તિને જૂઠાને પડશે જૂતાં
ચુંથારામ એ ચોખ્ખું ચકમક ઝરશે જીવરામભાઇ
Thursday, June 17, 2010
જય પ્રભુ પરમાત્માના આશિર્વચન
તમે અહીંયા આવો છો એ સર્વાંન્તરયામીની જ પ્રેરણા છે.
સર્જનહાર પોતે પોતાની મેળે પોતાના સર્જનમા પ્રગટે એવી જ એની સર્વ પ્રેરણા છે.
તે સર્વવ્યાપક સર્વની સર્વશક્તિ, ર્હદયમાં રહેલા ચૈતન્યમાં જાગ્રત થવાથીજ પ્રગટે છે.
પૂર્ણરૂપ થવું એ જ સાચું જ્ઞાન અને સાચું ધ્યેય છે.
અહીં આવનાર દરેક કબુલે છે કે સાચા જ્ઞાન અને સાચા ધ્યેયમાં જ સાચી શાંતિ છે જે ભારતિય સંસ્કૃતિ નો સાચો વારસો છે.
ધનથી ભૌતિકતા વિલાસીતાથી અંદરની સાચી શાંતિ નથી જે પશ્ચિમની આંધળી દોટ છે.
આત્મજ્ઞાન સાચું શિક્ષણ છે.
જીવનશક્તિ, સૂર્યપ્રકાશ, પવન, અન્નજળ સર્જનહાર પ્રેરિત છે.
આત્માથી આત્મામાં જાગૃતિ - સાચા શિક્ષણમાં બાહ્ય ભૌતિકની અપેક્ષા નથી.
દરેક માણસ પોતાના સાચા સ્વરૂપે શુદ્ધ ચૈતન્ય હોવાથી આત્માથી આત્મામાં જ પૂર્ણ છે.
આત્મામાં આભાવ ઇચ્છા નથી.
શાળાની રજત જ્યંતિ પ્રસંગે સર્વેજનો પોતાનાજ ર્હદયમાં પોતાના જ આત્મારૂપ રહેલ સર્જનહાર સાથે એકતા પમી પૂર્ણ બને.
જય પ્રભુ
સચ્ચિદાનંદોહમ
નર્મદા, ૨૭/૦૯/૨૦૦૯
આસો સુદ ૯
વિક્રમ સંવત ૨૦૬૫
--------------------------------------------------------------------------------
સ્વયં મહાચિદાકાશ
આખું વિશ્વ ગુરૂ છે એમાં દરેક વ્યક્તિ વિદ્યાર્થી છે, આખા વિશ્વાત્માનું પૂર્ણજ્ઞાન શિક્ષણ છે અને વ્યક્તિપણાની સંકુચિતતાથી મુક્તિ અને આખા વિશ્વાત્મા સાથેની અનંતપૂર્ણ એકતા છેલ્લી ડિગ્રી - પરમપદ છે.
૩૦/૧૦/૨૦૦૯, શુક્રવાર, મધ્યરાત્રી - ૧૨.૩૦
--------------------------------------------------------------------------------
કેવળ સ્વસ્વરૂપ કેવળ મહાચિદાકાશ છે
My Self is My God
My Conciosness is My Realisation
My Bliss is My Perfection
I am Satchhidanada ABSOLUTE
Self Mahachidakash
If One Realises Me, Realises One's Own Real Self
I am Infinity, Eternity, Immorality, Reality
I am ALL, ALL am I Equality
I am Limitless, Partless, Light full of peace
I am All LOVE, I am all PLAY, I am all DIVINE
I am All BEAUTY, Iam All VISION, I am All DEPTH
I am All in All SUPREME Self of ALL
See Me And Be Self MAHACHIDAKASH
I am Omnipresence, Omniscince, Omnipotence
I am Satchhidanada ABSOLUTE
જય પ્રભુ
સચ્ચિદાનંદોહમ
નર્મદા, ૧/૦૮/૨૦૦૯
શનિવાર
Tuesday, June 15, 2010
ગુરૂગીતા 1
ગુરૂગીતા
પરમતત્વ પરમાકાશ - કૈવલ્ય - જો હૈ સો હૈ
કેવળ સ્વયં મહાચિદાકાશ સંપૂર્ણ પ્રકાશ
ભગવાન શંકર જગદંબા પાર્વતી ચૈતન્ય સંવાદ
ગુરૂગીતા
સ્વયં પૂર્ણબ્રહ્મ જ છે જુદું બીજું કંઇ જ નથી
સ્વયં પૂર્ણસ્વરૂપ પૂર્ણબ્રહ્મ સ્વયંસિધ્ધ જ છે
સ્વાત્મા અનંત સચ્ચિદાનંદબ્રહ્મગુરૂ સર્વત્ર સમાન ભરપૂર છે
સ્વયં મહાચિદાકાશ અનંત એક રસ જ છે
સ્વયં સચ્ચિદાનંદબ્રહ્મ અનંત એકરસ જ છે
આપણે ન પકડીએ તો કોઇ પકડાવે નહી; આપણે ન છોડીએ તો કોઇ છોડાવેય નહી
આત્મા જ શિષ્ય, આત્મા જ ગુરૂ, આત્મા જ પરમાત્મા
પોતે પકડે છે એ શિષ્ય, પોતે છોડે છે એ ગુરૂ, પોતે કેવળ પોતે છે એ પરમાત્મા
જો હૈ સો હૈ