જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Saturday, November 23, 2024

સંસારનાં નામ રૂપ બાદ જ કરતાં

(રાગ: નિર્ધનનો અવતાર બળ્યો નિર્ધનનો અવતાર)

સંસારના નામ રૂપ બાદ જ કરતાં 

બ્રહ્મની પ્રતીતિ જેને થાય તે  હાલની બ્રહ્મની મૂર્તિ ગણાય

આત્માને ધર્મ-અધર્મ સ્પર્શે નહીં

એ મર્મ જેને સમજાય - તે  હાલની બ્રહ્મની મૂર્તિ ગણાય

દેહમાં વર્તે તોય વિદેહી રહે છે 

બ્રહ્મ સાક્ષાત્કાર થાય - તે  હાલની બ્રહ્મની મૂર્તિ ગણાય

રજ્જુમાં સર્પની ભ્રાંતિ ટળી જાય છે 

બ્રહ્મ ભાવ સહેજે સહેજે થાય - તે  હાલની બ્રહ્મની મૂર્તિ ગણાય

પ્રકૃતિ-પુરુષનો ખેલ જગત છે 

સાગર લહેરી જણાય - તે  હાલની બ્રહ્મની મૂર્તિ ગણાય

ભીંત ઉપરનાં જુદા-જુદા ચિત્રો

દીવાલ રૂપ જણાય - તે  હાલની બ્રહ્મની મૂર્તિ ગણાય

સ્વરૂપમાં કર્મોનું જેમ બંધન નહીં

એવો અનુભવ થાય - તે  હાલની બ્રહ્મની મૂર્તિ ગણાય

વેદ વાક્ય જે તત્વમસી છે 

ચુંથારામ જે બ્રહ્મમાં ભળાય - તે  હાલની બ્રહ્મની મૂર્તિ ગણાય

No comments: