જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Monday, February 17, 2025

જો જો ભક્તિમાં અસંગતિ.....

 (રાગ: તમે એકવાર મારવાડ જાજ્યો રે મારવાડા)

જો જો ભક્તોમાં અસંગતિ થાય ના રે હો નામવાળા 

જો જો નિજનામ બદનામ થાય ના રે હો નામવાળા 

તમે ચેતી ચાલો.........હો....નિજાનંદે માલો 

જો જો ગુરુએ આપેલું ગુમ થાય ના રે હો નામવાળા 

આપ્યાં વચન પાળો.....હો....બોલેલા બોલ સંભાળો 

જો જો જુબાનીમાં જુઠ પણું થાય ના રે હો નામવાળા

ગુરુ ચરણ ચીંધ્યું......હો......મસ્તક મૂકી દીધું

ચુંથારામ સદગુરૂએ નામ નિવેદન દીધું રે હો નામવાળા 

 

No comments: