(રાગ: તમે એકવાર મારવાડ જાજ્યો રે મારવાડા)
જો જો ભક્તોમાં અસંગતિ થાય ના રે હો નામવાળા
જો જો નિજનામ બદનામ થાય ના રે હો નામવાળા
તમે ચેતી ચાલો.........હો....નિજાનંદે માલો
જો જો ગુરુએ આપેલું ગુમ થાય ના રે હો નામવાળા
આપ્યાં વચન પાળો.....હો....બોલેલા બોલ સંભાળો
જો જો જુબાનીમાં જુઠ પણું થાય ના રે હો નામવાળા
ગુરુ ચરણ ચીંધ્યું......હો......મસ્તક મૂકી દીધું
ચુંથારામ સદગુરૂએ નામ નિવેદન દીધું રે હો નામવાળા
No comments:
Post a Comment