જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Wednesday, February 19, 2025

સમજુને શીખ શું દઈએ.....

(રાગ: આવ્યો'તો નગરે ધુતારો.....)

સમજુને શીખ શું દઈએ ડાહ્યાંના દિલમાં દુઃખ લાગે રે 

નિર્લેપ વાણી ઉચ્ચારિયે ડાહ્યાંના દિલમાં દુઃખ લાગે રે 

ગુણોથી પર ગુણાતીત કહેવાય 

નયનોમાં નિજ સ્વરૂપ ઓળખાય

અરૂપને રૂપમાં શું લઈએ ડાહ્યાંના દિલમાં દુઃખ લાગે રે 

મોહે ભરેલાં દ્રશ્યો દેખાય 

ઝાકળ જળ જેમ ઉડી રે જાય 

ચુંથારામ જગ બ્રહ્મ ભરાય ડાહ્યાંના દિલમાં દુઃખ લાગે રે 

No comments: