(રાગ: આવ્યો'તો નગરે ધુતારો.....)
સમજુને શીખ શું દઈએ ડાહ્યાંના દિલમાં દુઃખ લાગે રે
નિર્લેપ વાણી ઉચ્ચારિયે ડાહ્યાંના દિલમાં દુઃખ લાગે રે
ગુણોથી પર ગુણાતીત કહેવાય
નયનોમાં નિજ સ્વરૂપ ઓળખાય
અરૂપને રૂપમાં શું લઈએ ડાહ્યાંના દિલમાં દુઃખ લાગે રે
મોહે ભરેલાં દ્રશ્યો દેખાય
ઝાકળ જળ જેમ ઉડી રે જાય
ચુંથારામ જગ બ્રહ્મ ભરાય ડાહ્યાંના દિલમાં દુઃખ લાગે રે
No comments:
Post a Comment