જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Monday, May 20, 2024

ગુરુજીના જ્ઞાને વીરા સમજીને રહેજ્યો

(રાગ: કાલ તમારી સાસુજીના જમાઈ રે )

                ગુરુજીના જ્ઞાને વીરા સમજીને રહેજ્યો

અંતરથી એક્તાઓ જોઈએ...........મોજીલા માનવા સમજીને રહેજ્યો 

                મારું ને તારું તેતો જગલાંને સોપજ્યો

પોતે પોતામાં ચિત્તને જોડી રે...........મોજીલા માનવા સમજીને રહેજ્યો 

                ચિંતા ને ચીવટ જગની વિસારી મેલજ્યો

જડ ચેતનને જુદા પાડી રે...........મોજીલા માનવા સમજીને રહેજ્યો 

                લાભને હાની તેતો જગલાંના ધર્મો

તું તો અવિનાશી પદનો વાસી રે...........મોજીલા માનવા સમજીને રહેજ્યો 

                માન-અપમાન તુજને જરીએ ના લાગે

ચુંથારામ છો નિરાકાર અભ્યાસી રે...........મોજીલા માનવા સમજીને રહેજ્યો 

જીવ જોઇલે દુનિયાદારી

(રાગ: જેવો તેવો પણ તારો પ્રભુ હાથ પકડ મારો)

જીવ જોઇલે દુનિયાદારી - મિથ્યા જગતની યારી

જીવ સાગર છે ભયકારી - નીકળવા ના જડે બારી

પ્રભુ કૃપા કરીલ્યો તારી - મિથ્યા જગતની યારી

જીવ શીદ મરે કુટાઈ - છે આ સ્વારથની સગાઇ 

નથી દુન્યવી મિલકત તારી - મિથ્યા જગતની યારી 

જેને માટે રખ રખ કરતો - દિવસ રાત જરા નથી જપતો

તેના દિલમાં તારી ખુંવારી - મિથ્યા જગતની યારી 

તું તારું ભૂલ્યો ભાઈ તને - સમજણ કાંઈ ન આવી

રહો ચુંથારામ નિજ નિહારી - મિથ્યા જગતની યારી 

Saturday, May 18, 2024

સજીએ સદગુરુની શાન

(રાગ: મારા જીવન કેરી નાવ તારે હાથ સોંપી છે)

સજીએ સદગુરુની શાન...........તજીએ માન ને ગુમાન

                અહંતા, મમતા ત્યાગ કરીને મનકી મટકી ફોડીએ 

ભજીલે ભવતારણ ભગવાન...........તજીએ માન ને ગુમાન

                કરમ-ભરમના મોહ જંજાળો ગુરુના શબ્દે તોડીએ 

કરીએ નિજ સ્વરૂપનું ભાન...........તજીએ માન ને ગુમાન

                એકરૂપ જગ વ્યાપક ભરપુર અનુભવ આંખે દેખીએ 

અહંકાર આંઠે રહ્યો ભગવાન...........તજીએ માન ને ગુમાન

                શોધ કરીલે દિલની અંદર તનનો તાપ મિટાવી દે 

ચુંથારામ ગ્રહી લઈએ ગુરુ જ્ઞાન...........તજીએ માન ને ગુમાન

મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

(રાગ: સાચું મોતીડું મારું મોંઘુ મોતીડું)

                મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

ઓચિંતાં તેડાં થશે જંજાળીયા.........મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

                દ્રષ્ટિના દોષ તો ભોગવવા પડશે

નયનોનાં નખરાં નડશે જંજાળીયા.........મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

                દુ:સંગ ત્યાગજે ને સતસંગ રાખજે 

હરખે હરિના ગુણ ગાજે જંજાળીયા.........મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

                સદગુણ શોધી ગાડાં ભરી લાવજે 

દુર્ગુણથી દુર તું રહેજે જંજાળીયા.........મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

                ભજન સતસંગમાં વહેલો વહેલો આવજે 

ચુંથારામ ગુરુશરણ રહેજો જંજાળીયા.........મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

દેહ તો છોડીને જાવું પડશે જીવરામભાઈ

(રાગ: મેનાબેનને દામણી જોઈશે વરરાજા)

દેહ તો છોડીને જાવું પડશે જીવરામભાઈ

કર્મોનો વિપાક લેવો પડશે જીવરામભાઈ

કાઈક, વાચિક માનસિકથી જે-જે કર્મો થતાં

તે તણો હિસાબ દેવો પડશે જીવરામભાઈ

કાયાથી કોઈ હિંસા થાય, મનથી કોઈનું દિલ દુભાય

વાણીમાં બોલેલું સામું મળશે જીવરામભાઈ

નીતિ અનીતિ સામે જુઠા જે-જે વર્તન થાતાં

ચોખ્ખે ચોખ્ખો હિસાબ દેવો પડશે જીવરામભાઈ

સાચાને મળશે સંપતિ ને જુઠાને મળશે જૂતાં

ચુંથારામ એ ચોખ્ખું ચકમક ઝરશે જીવરામભાઈ


મેં ભમ્મર ગુફા કા યોગી

 (રાગ: હું શામની વિજોગણ મુજને ના સતાવો રે)

મેં ભમ્મર ગુફા કા યોગી - મેરા નામ અનામી હૈ

મેં નિજ પદ કા સંયોગી - મેરા નામ અનામી હૈ 

મેં એક અનંત કહાવે - સતનામ હમારા હોવે

મેં વ્યાપક દર્શન દેવે - મેરા નામ અનામી હૈ

મેં સબમેં, સબ હૈ મુજમે- મેં સબસે ન્યારા જગમેં 

મેં સતચિત આનંદ ઉરમેં - મેરા નામ અનામી હૈ 

મેં ખંડન-મંડન નાહી - મેં સ્થિર અચલ કછુ નાહી 

ચુંથારામ સ્વરૂપ કે માહી - મેરા નામ અનામી હૈ 

કોણ કરે કર્મોનો કેર શિવ શિવ બોલીએ

(રાગ: જાગો તમે જદુપતિનાથ એક વાર નયનો ખોલીએ)

કોણ કરે કર્મોનો કેર - શિવ શિવ બોલીએ 

અણમોલી જિંદગી મોજાર - શિવ શિવ બોલીએ

                    મનના તોરંગડાને નાથી નચાવીએ

કરીએ વૈરાગ્ય વિચાર - શિવ શિવ બોલીએ 

                    સતસંગી તેડીએ ને જ્ઞાન ઘોડા ખેલીએ 

શ્રદ્ધા વિવેક ધરી પ્યાર - શિવ શિવ બોલીએ

                    લોકલાજ અવર કાજ વિસારી મેલીએ 

શાંતિ ધીરજ ધરી શણગાર - શિવ શિવ બોલીએ 

                    દિલડાંમાં રીજીએ ને દુસંગજોઈ ખીજીએ 

કરીએ આત્માના વિચાર - શિવ શિવ બોલીએ 

                    ભજન કીર્તનમાં નિશદિન જાગીએ 

ચુંથારામ સ્વરૂપે ચિત વાર - શિવ શિવ બોલીએ  

Friday, May 17, 2024

કર્યા કરમ કુટાળા

 (રાગ: લાડી લાડાને પૂછે મોટી શે'ર બંગલા રે)

કર્યા કરમ કુટાળા..... માવો ક્યાંથી મળશે રે 

ભર્યા ચિતમાં ઉચાળા..... માવો ક્યાંથી મળશે રે 

મુખે જપે માનવો રામ.....કરે નીચાં કામ.... માવો ક્યાંથી મળશે રે.

પર પ્રાણ દુભાવી.....ભેગા કરે દામ.....માવો ક્યાંથી મળશે રે 

તન ગોળાંને કર્મો છે કાળાં.....માવો ક્યાંથી મળશે રે 

ગરીબોને ગક્લાવ્યા......માવો ક્યાંથી મળશે રે 

ચુંથારામ છોડીદયોને ચાળા....માવો ક્યાંથી મળશે રે 

મન મેળાપીને મનની કરીએ વાતો

(રાગ: ઝીણું છેક ફદિયું ગોકુળ ગામ મોકલાવો રે...)

                    મન મેળાપીને મનની કરીએ વાતો રે.....

સદબોધ લીધો, પ્રેમ રસ પીધો....નિજમાં નિજ સમાતો રે.....

                    અંતરયામી ઘટમાં બેસી ગાતો રે.......

નયનમાં નીરખ્યો....શ્રવણમાં પારખ્યો.....અનહદમાં વર્તાતો રે.....

                    જ્યાં જોઈએ ત્યાં એનો એ જ જણાતો રે....

પવનનો ચરખો....માપમાં સરખો......દ્રષ્ટા ઝગમગ થાતો રે.....

                    અક્ષર દેહે નિજ નામે ઓળખાતો રે........

બાવન બા'રો.......ચુંથારામ ન્યારો......ગુરુગમથી સમજાતો રે..... 

એક ભર્મે ભૂલેલા જીવને સંતો સમજાવે કરી પ્યાર

(રાગ: મારો માંડવો રઢીયાળો લીલી પાંદડીએ સજાવો......)

એક ભર્મે ભૂલેલા જીવને સંતો સમજાવે કરી પ્યાર........

તો...એ મુરખો સમજે નહિ રે લગાર......

ત્રીવીધીના તપો માંહે દીઠો માયાનો માર.........

 રસાસ્વાદે મચ્છ બન્યો તદાકાર.....

ભવસાગરના ઊંડા ખદબદતા કુવાની પડથાર........

ભમર બનીયો સુંઘી કુવાની વરાળ.......

ભાન ભૂલ્યો ને અવસાન આવીને ઉભું છે બહાર.....

ચુંથારામ સમરો સદગુરુ કરશે બહાર.....

રામ ઝરુખે જોઈ રહ્યા છે

રામ ઝરુખે જોઈ રહ્યા છે દેહમાં શું લોભાય...જીવડા દેહમાં શું લોભાય

હાડ માંસ ને પરુ ભર્યું છે તેમાં શું લલચાય.....જીવડા તેમાં શું લલચાય 

દેહના લાલન પાલનમાં રહ્યો આયુષ્ય એળે જાય.....જીવડા આયુષ્ય એળે જાય

આવ્યો'તો તું લાભ જ લેવા ખાલી હાથે જાય.....જીવડા ખાલી હાથે જાય

સાહેબના દરબારમાં રજ રજનાં લેખાં થાય.....જીવડા રજ રજનાં લેખાં થાય 

કર્યા કરમના પોટલાનો લીધો શિર પર ભાર....જીવડા લીધો શિર પર ભાર

સત્યનું સ્મરણ ના કર્યું ને કર્મોમાં કુટાય......જીવડા કર્મોમાં કુટાય 

કહે ચુંથારામ સ્નેહથી તું તારામાં તપાસ.....જીવડા તારામાં તપાસ 

દુરીજનીયાંથી દુર રહીએ

(રાગ: આવશે એ અલબેલોજી અંતકાળે)

દુરીજનીયાંથી દુર રહીએ - આપણે તો ભજનમાં રહીએ

        ભજનમાં રહીએ ને સતસંગ કરીએ 

પર નિંદા પરહરીએ - આપણે તો ભજનમાં રહીએ

કજીયો કંકાસ ના કરીએ - આપણે તો ભજનમાં રહીએ

        હરિનું નામ ખુબ ખુબ ઘૂંટીને લઈએ 

જન્મ સફર કરી લઈએ - આપણે તો ભજનમાં રહીએ

કડવા વચન ના વદીએ - આપણે તો ભજનમાં રહીએ

           નિજ સ્વરૂપનું ચિંતન કરીએ 

ગુરુજીના જ્ઞાનમાં રહીએ - આપણે તો ભજનમાં રહીએ

પરોણા થઇ ઘેર ફરીએ - આપણે તો ભજનમાં રહીએ

            સ્વાર્થ ત્યાગીએ ને પરહિત તાકીએ 

ચુંથારામ આનંદમાં રહીએ - આપણે તો ભજનમાં રહીએ

Thursday, May 16, 2024

બંદા બોલનારો જોયો બોલી બોલી જાય

(રાગ: એક નામમાં નિમાયા નરહરિલાલ)

બંદા બોલનારો જોયો બોલી બોલી જાય

                    કંઠ કમળમાં બેસી બોલી બોલી જાય

બંદા દેખાનારો દેખ્યો, દેખી દેખી જાય

                    નયન કમળમાં બેસી દેખી દેખી જાય

બંદા ચાલનારો જોયો ચાલી ચાલી જાય

                    પગે પાવર દેનારો ચાલી ચાલી જાય

બંદા રુદિયે રહેનારો શક્તિ આપી જાય

                    ચુંથા ચિતમાં રમનારો નિત્ય મળી જાય

હું તો ત્રણે ભુવનમાં ફરી વળ્યો

(રાગ: પ્રભુ ઊંડો તે કુવો જળ ભર્યો)

હું તો ત્રણે ભુવનમાં ફરી વળ્યો

મુજને મળ્યો નહીં મારા જેવો, સ્વરૂપનાં ઋષણાં

જ્યાં જ્યાં જોવું ત્યાં હું નો હું થઇ રહ્યો

બીજો ખોળ્યો જડે નહીં એવો સ્વરૂપનાં ઋષણાં

સચ્ચિદાનંદ મારું સ્વરૂપ છે

તેનો જોટો જડે નહીં જગમાં સ્વરૂપનાં ઋષણાં

નિરાકાર અગમ્ય અમૃત જેવો

ચુંથારામ વિશ્વરૂપે ધારો સ્વરૂપનાં ઋષણાં

લીલા પીળા આંગણીયામાં મંડપડા રોપવો

(લીલા પીળા વાંસળિયા રે વઢવો)

લીલા પીળા આંગણીયામાં મંડપડા રોપવો

ચંદનીયો બંધાવો ગુરુગમ જ્ઞાનની રે લોલ

નભી કમળથી ઊર્મિની જાજમો પાથરવો

પચ્ચીસ પ્રકૃતિના તોરણીયા બંધાવજો રે લોલ

તનમાત્રાના સિંહાસનો જુગતિથી જડાવો

સંતોના સામૈયા રે ધન્ય ધન્ય ભાગ્ય જાણજો રે લોલ 

ભજન કીર્તન સતસંગતીમાં ચિત લાવો

ચુંથારામ ચિંતનમાં રે લક્ષ ઘણું રાખજો રે લોલ 

ચિત ચેતન સ્વરૂપે જગમાં મોકલ્યા

(રાગ: ઝટ ઝટ રે મોનીબા કાગળ મોકલે)

ચિત ચેતન સ્વરૂપે જગમાં મોકલ્યા

કરીયો માયાનો સંગ, લાગ્યો સંગતનો રંગ....ચિત ચેતન સ્વરૂપે જગમાં મોકલ્યા

પાંચે પાંચ વિષયમાં ગૂંચાઈ રહ્યા

કરી કુટુંબે પ્રીત, જગની ઉલટી છે રીત.......ચિત ચેતન સ્વરૂપે જગમાં મોકલ્યા

મારા તારાની ઘાણીમાં પીલાઈ રહ્યો

તેડાં આવશે તત્કાળ, ચિંતન કર્યું નહીં લગાર.....ચિત ચેતન સ્વરૂપે જગમાં મોકલ્યા

માનવ મોક્ષ દરવાજો, શીદને ભૂલ્યા

ચુંથારામ રક્ષેવ, કરો સદગુરુની સેવ........ચિત ચેતન સ્વરૂપે જગમાં મોકલ્યા

નામને રૂપ, ગુણના ભેગો રે ભરીયો

(રાગ: હારે (જોડે)ના બેસીએ વીરા જોડે ના બેસીએ)

                 નામને રૂપ, ગુણના ભેગો રે ભરીયો 

અસલ સ્વરૂપ તારું ભૂલ્યો, ભરમણા તારી વિસારી મેલજે  

                   તારા ને દેહના ધર્મો વિચારી જોજે 

દેહ તો આવે ને જાવે....તું તો અચલ કહેવાયે.....મનની ભરમણા તારી વિસારી મેલજે  

                    તન તો અંધેરી નગરી તું છે ઉજીયારો

તું તો અવિચલ પદમાં......જોટો જડે નહીં જગમાં .....મનની ભરમણા તારી વિસારી મેલજે 

                    શરીર છે જડ ને તું ચૈતન્ય સ્વરૂપ છે

તું છે ઘટ-ઘટનો વાસી.....તું તો સ્વયંપ્રકાશી.....ચુંથા ભવભયની ભીતિ વિસારી મેલજે 

વિષુચિકાનો રોગ લાગ્યો

(રાગ: પહેલા યુગમાં વાણિયો હતો તે ઓછી વસ્તુ તોલતો)

વિષુચિકાનો રોગ લાગ્યો રખ રખ કરતો રે.

ઘર ધંધામાં ઘડી ના જપતો તોય વલખાં વીણતો રે

આશા તાંતણે તણાઈ મરતો લાલચમાં લપટાતો રે

તૃષ્ણા ડાકણ જપવા ના દે હાયકારામાં મરતો રે

વ્હાલાં વરુની વેઠ જ વળગી જેમ-જેમ દા'ડા ગણતો રે

ધન ધાખનામાં ઊંઘ જ નાં આવે ઉજાગરા કરી મરતો રે

પાંચ વિષયોના રોગે કરીને ધર્મ પોતાનો ચૂકતો રે

કહે ચુંથારામ સદગરું હોય તો નિજ મારગમાં મળતો રે 

Tuesday, May 14, 2024

વીરા સ્વરૂપ જ્ઞાનનો તોડ, તત્વમસી ચિત જોડ

 (રાગ: મારા આંગણે ખાજુરીનો છોડ)

વીરા સ્વરૂપ જ્ઞાનનો તોડ.........તત્વમસી ચિત જોડ

વીરા એ આત્મ જ્ઞાનનો છોડ.........તત્વમસી ચિત જોડ

            અંત:કરણના છે ત્રણ દોષ

            મળ વિક્ષેપ ને આવરણ કોષ

વીરા નીષ્કામે જાય મળ મોડ.........તત્વમસી ચિત જોડ

            ભગવદ ઉપાસનાથી વિક્ષેપ જાય

            જ્ઞાન થયા પછી આવરણ જાય

વીરા વિવેક વૈરાગ્ય ધરી હો.........તત્વમસી ચિત જોડ

            સત્વ રજ તમો ગુણ નીધાન

            ત્રણે ગુણોથી જુદું તત્વજ્ઞાન

ચુંથા સદગુરુ પાડે ફોડ.........તત્વમસી ચિત જોડ 

જીવરામ આતે લીલા કેવી રે

(રાગ: બેની નથી આપણા મોટા ઘરની રીતો)

જીવરામ આતે લીલા કેવી રે તમને શું શું કહીએ

ચારે ચાર શરીરો પહેરી બેઠા

બનીયા જાડા ભીમ હવે તો તમને શું શું કહીએ 

મળ વિક્ષેપને આવરણ પડદે રોકાઈ રહ્યા રે

તમને મળ્યો મોંઘો મનુષ્ય અવતાર.....હવે તો તમને શું શું કહીએ

તમને વીંટળાઈ વળી લિંગ શરીરની વાસના રે

ચુંથા સદગુરુ શરણ સેવો તો સુખ થાય.....હવે તો તમને શું શું કહીએ