(રાગ: મારા આંગણે ખાજુરીનો છોડ)
વીરા સ્વરૂપ જ્ઞાનનો તોડ.........તત્વમસી ચિત જોડ
વીરા એ આત્મ જ્ઞાનનો છોડ.........તત્વમસી ચિત જોડ
અંત:કરણના છે ત્રણ દોષ
મળ વિક્ષેપ ને આવરણ કોષ
વીરા નીષ્કામે જાય મળ મોડ.........તત્વમસી ચિત જોડ
ભગવદ ઉપાસનાથી વિક્ષેપ જાય
જ્ઞાન થયા પછી આવરણ જાય
વીરા વિવેક વૈરાગ્ય ધરી હો.........તત્વમસી ચિત જોડ
સત્વ રજ તમો ગુણ નીધાન
ત્રણે ગુણોથી જુદું તત્વજ્ઞાન
ચુંથા સદગુરુ પાડે ફોડ.........તત્વમસી ચિત જોડ