જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Thursday, May 9, 2024

પડદો ખોલી પરાંણીયા જો જે

(રાગ: નવષા નવી હવેલી વાળો...)

                    પડદો ખોલી પરાંણીયા જો જે;

ધારણા બાંધીને ધીરધાર કરજે, પરાંણીયા જગતની રીતભાત જુદી છે.

                    હીરા, મોતી હરિનું નામ છે;

ગરજુ ઘરાક જોઈ તોલ કરજે, પરાંણીયા જગતની રીતભાત જુદી છે.

                    અંતર જૂદું ને મુખડે મીઠાશ છે;

નીરખી-પરખીને સદબોધ કરજે, પરાંણીયા જગતની રીતભાત જુદી છે.

                    ગોરાં-ગોરાં મુખડાં ને કૂડાં કૂડાં કર્મો;

એવા દુરીજનથી દુર રહેજે, પરાંણીયા જગતની રીતભાત જુદી છે.

                    ચુંથારામની રચના સાંભળજે;

સદા સદગુરુ શરણમાં રહેજે, પરાંણીયા જગતની રીતભાત જુદી છે.

No comments: