જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Friday, May 10, 2024

આખા કુળમાં રે એક ભક્ત જો પાકે......

(રાગ:મધ બેઠાં રે આંબલીયાને ડાળ કે મધ રે......)

આખા કુળમાં રે એક ભક્ત જો પાકે તો કુળ એકોતેર તારશે...

તેના સમરણથી નાસે જન્મોના પાપ કે આત્મામાં પ્રીતિ જાગશે....

તેની વાણીમાં વસી રહ્યો રે મોરારી કે સતસંગીને સુખ આપશે.....

તેના દર્શનથી દુઃખ, દરિદ્ર નાસે કે ભવનાં બંધન કાપશે......

તેના સહવાસથી ભવ રોગ મટાડે કે આતમ જ્યોત જગાવશે......

તેના શરણે પડેલાને નકરો બનાવે કે ચુંથારામ ભેગો ભરાઈ જાશે.....

No comments: