જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Thursday, May 9, 2024

મેં તો જાણ્યો સંસારીયો ખારો.....

(રાગ: મારે સાસરીએ જઈ કોઈ કહેજો એટલડું પ્રીતમજી.......)

મેં તો જાણ્યો સંસારીયો ખારો સમુંદર.....નાવિક વિના કેમ ચાલશે...

                    શઢ તૂટશે ને થાંભલો ભાગશે;

                    તને જાજુ જોખમ વિશ લાગશે;

તારી નાવડી તો ડગુંમગું થશે જીવલડા.....નાવિક વિના કેમ ચાલશે...

                    ખારા સંસારે ખટપટ ઝાઝી છે;

                    કુળ કુટુંબની રંગ બાજી છે;

તારી કિનારે નવ કેમ જાશે જીવલડા.....નાવિક વિના કેમ ચાલશે...

                    તારો ખેવટીયો નાવ ખેડનારો;

                    તેને શોધો તો ભવ તારનારો;

ચુંથારામ ગુરુ શરણ સ્વીકારો જીવલડા.....નાવિક વિના કેમ ચાલશે...

No comments: