જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Monday, July 12, 2010

સદગુરુની શાન

(રાગઃ મારા જીવન કેરી નાવ તારે હાથ સોંપી છે......)

સજીએ સદગુરુની શાન તજીએ માનને ગુમાન,
અહમતા મમતા ત્યાગ કરીને મનની મટકી ફોડીએ,
ભજીએ ભવતારણ ભગવાન તજીએ માનને ગુમાન.

કરમ ભરમના મોહ જંજાળો ગુરુના શબ્દે તોડીએ
કરીએ નીજ સ્વરૂપનું ભાન તજીએ માનને ગુમાન.

એક રૂપ જગ વ્યાપક ભરપૂર અનુંભવ આંખે દેખીએ,
અહંકાર ઓઠે રહ્યો ભગવાન તજીએ માનને ગુમાન.

ખોજ કરીલે દિલની અંદર તનનો તાપ મીટાવી દે,
ચુંથારામ ગ્રહી લઇએ ગુરુ જ્ઞાન તજીએ માનને ગુમાન

સજીએ સદગુરુની શાન તજીએ માનને ગુમાન

મનની મહેલાતો

(રાગઃ સાચુ મોતીડું મારૂ મોંઘું મોતીડું...)

મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

ઓંચિંતાં તેડા થાશે જંજાળીયા મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

દ્રષ્ટીના દોષતો ભોગવવા પડશે

નયનોનાં નખળાં નડશે જંજાળીયા મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

દુઃસંગ ત્યાગજે ને સતસંગ રાખજે

હરખે હરિના ગુણ ગાજે જંજાળીયા મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

સદગુણ શોધી ગાડાં ભરી લાવજે

દુર્ગુણથી દુર રહેજે જંજાળીયા મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

ભજન સતસંગમાં વ્હેલો વ્હેલો આવજે

ચુંથારામ ગુરુ શરણ રહેજે જંજાળીયા મનની મહેલાતો તારા મનમાં રહી જાશે

જીવરામભાઇ

(રાગઃ મેંનાબેનને દામણી જોઇશે વરરાજા...........)

દેહતો છોડીને જાવું પડશે જીવરામભાઇ

કર્મોનો વિપાક લેવો પડશે જીવરામભાઇ

કાંઇક વાચિક માનસિકથી જે જે કર્મો થાતા

તે તણો જવાબ દેવો પડશે જીવરામભાઇ

કાયાથી કોઇ હિંસા થાય મનથી કોઇનું દિલ દુભાય

વાણીમાં બોલેલુ સામું મળશે જીવરામભાઇ

નીતિ અનીતિ સામે જૂઠા જે જે વર્તન થાતાં

ચોખ્ખે ચોખ્ખો હિસાબ દેવો પડશે જીવરામભાઇ

સાચાને મળશે સંપત્તિને જૂઠાને પડશે જૂતાં

ચુંથારામ એ ચોખ્ખું ચકમક ઝરશે જીવરામભાઇ

Thursday, June 17, 2010

જય પ્રભુ પરમાત્માના આશિર્વચન

તમે અહીંયા આવો છો એ સર્વાંન્તરયામીની જ પ્રેરણા છે.

સર્જનહાર પોતે પોતાની મેળે પોતાના સર્જનમા પ્રગટે એવી જ એની સર્વ પ્રેરણા છે.

તે સર્વવ્યાપક સર્વની સર્વશક્તિ, ર્હદયમાં રહેલા ચૈતન્યમાં જાગ્રત થવાથીજ પ્રગટે છે.

પૂર્ણરૂપ થવું એ જ સાચું જ્ઞાન અને સાચું ધ્યેય છે.

અહીં આવનાર દરેક કબુલે છે કે સાચા જ્ઞાન અને સાચા ધ્યેયમાં જ સાચી શાંતિ છે જે ભારતિય સંસ્કૃતિ નો સાચો વારસો છે.

ધનથી ભૌતિકતા વિલાસીતાથી અંદરની સાચી શાંતિ નથી જે પશ્ચિમની આંધળી દોટ છે.

આત્મજ્ઞાન સાચું શિક્ષણ છે.

જીવનશક્તિ, સૂર્યપ્રકાશ, પવન, અન્નજળ સર્જનહાર પ્રેરિત છે.

આત્માથી આત્મામાં જાગૃતિ - સાચા શિક્ષણમાં બાહ્ય ભૌતિકની અપેક્ષા નથી.

દરેક માણસ પોતાના સાચા સ્વરૂપે શુદ્ધ ચૈતન્ય હોવાથી આત્માથી આત્મામાં જ પૂર્ણ છે.

આત્મામાં આભાવ ઇચ્છા નથી.

શાળાની રજત જ્યંતિ પ્રસંગે સર્વેજનો પોતાનાજ ર્હદયમાં પોતાના જ આત્મારૂપ રહેલ સર્જનહાર સાથે એકતા પમી પૂર્ણ બને.



જય પ્રભુ

સચ્ચિદાનંદોહમ

નર્મદા, ૨૭/૦૯/૨૦૦૯

આસો સુદ ૯

વિક્રમ સંવત ૨૦૬૫




--------------------------------------------------------------------------------





સ્વયં મહાચિદાકાશ



આખું વિશ્વ ગુરૂ છે એમાં દરેક વ્યક્તિ વિદ્યાર્થી છે, આખા વિશ્વાત્માનું પૂર્ણજ્ઞાન શિક્ષણ છે અને વ્યક્તિપણાની સંકુચિતતાથી મુક્તિ અને આખા વિશ્વાત્મા સાથેની અનંતપૂર્ણ એકતા છેલ્લી ડિગ્રી - પરમપદ છે.



૩૦/૧૦/૨૦૦૯, શુક્રવાર, મધ્યરાત્રી - ૧૨.૩૦






--------------------------------------------------------------------------------



કેવળ સ્વસ્વરૂપ કેવળ મહાચિદાકાશ છે

My Self is My God

My Conciosness is My Realisation

My Bliss is My Perfection

I am Satchhidanada ABSOLUTE

Self Mahachidakash

If One Realises Me, Realises One's Own Real Self

I am Infinity, Eternity, Immorality, Reality

I am ALL, ALL am I Equality

I am Limitless, Partless, Light full of peace

I am All LOVE, I am all PLAY, I am all DIVINE

I am All BEAUTY, Iam All VISION, I am All DEPTH

I am All in All SUPREME Self of ALL

See Me And Be Self MAHACHIDAKASH

I am Omnipresence, Omniscince, Omnipotence

I am Satchhidanada ABSOLUTE



જય પ્રભુ

સચ્ચિદાનંદોહમ

નર્મદા, ૧/૦૮/૨૦૦૯

શનિવાર

Tuesday, June 15, 2010

જય પ્રભુ

જય પ્રભુ

જય પ્રભુ

ગુરૂગીતા 1


દ્રશ્ય અનુંભવાય છે દ્રષ્ટામાં

દ્રષ્ટા અનુંભવાય છે અનુભવપ્રકાશમાં

અનુભવપ્રકાશ છે અનંત શુદ્ધ ચિદાકાશ


"હું ચૈતન્ય છું આખુ અનંત એકજ ચૈતન્ય છે સ્વયં ચૈતન્ય જ ગુરૂ તત્વ છે"

જો હૈ સો હૈ

જય પ્રભુ

ગુરૂગીતા



પરમતત્વ પરમાકાશ - કૈવલ્ય - જો હૈ સો હૈ

કેવળ સ્વયં મહાચિદાકાશ સંપૂર્ણ પ્રકાશ

ભગવાન શંકર જગદંબા પાર્વતી ચૈતન્ય સંવાદ

ગુરૂગીતા

સ્વયં પૂર્ણબ્રહ્મ જ છે જુદું બીજું કંઇ જ નથી

સ્વયં પૂર્ણસ્વરૂપ પૂર્ણબ્રહ્મ સ્વયંસિધ્ધ જ છે

સ્વાત્મા અનંત સચ્ચિદાનંદબ્રહ્મગુરૂ સર્વત્ર સમાન ભરપૂર છે

સ્વયં મહાચિદાકાશ અનંત એક રસ જ છે

સ્વયં સચ્ચિદાનંદબ્રહ્મ અનંત એકરસ જ છે

આપણે ન પકડીએ તો કોઇ પકડાવે નહી; આપણે ન છોડીએ તો કોઇ છોડાવેય નહી

આત્મા જ શિષ્ય, આત્મા જ ગુરૂ, આત્મા જ પરમાત્મા

પોતે પકડે છે એ શિષ્ય, પોતે છોડે છે એ ગુરૂ, પોતે કેવળ પોતે છે એ પરમાત્મા

જો હૈ સો હૈ

Tuesday, March 23, 2010

રામનવમી

ભારતીય સંસ્કૃતિ અનુંસાર રામનવમીને દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. 'રામનામ' અદભુત સંજીવની છે, અમોઘ શસ્ત્ર છે, મહાન શક્તિ છે. માત્ર એકજ વખત 'રામ' બોલાઇ જવાય તો પણ અધમનો ઉદ્ધાર થઈ જાય છે. 'રામ' ને બદલે 'મરા...મરા...' બોલનારો વાલિયો લૂંટારો મહાન કવિ અને રામાયણનો રચયિતા મહર્ષિ વાલ્મીકિ બની ગયો ! સપ્તર્ષિઓએ આ રત્નાકર (વાલિયો લૂંટારા) ને 'રામનામ' નો મહિમા સમજાવ્યો અને ઉપદેશ આપ્યો કે તું રામનામનો જપ કર. તેના હ્રદયમાં રામનામની લગની લાગી ગઈ. તેના રોમ રોમમાંથી 'મરા...મરા...' નો જપ થઈ રહ્યો હતો. તેના શરીર પર માટાના રાફડા બંધાયા. સંસ્કૃતમાં રાફડાને 'વાલ્મીક' કહે છે, તેથી તેમનું નામ વાલ્મીકિ પડ્યું.

ભક્ત શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલને સદ્‌ગુરૂશ્રી ભલારામ મહારાજ દ્વારા ચૈત્ર સુદ નોમના રોજ રામનવમીને દિવસે પોતાના આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર કરાવતો ઉપદેશ આપ્યો હતો. શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલે પોતાના આ અનુંભવોને ભજનના સ્વરૂપમાં રજૂ કરેલ છે જે અત્રે પ્રસ્તુત કરતા ગર્વની લાગણી સાથે ધન્યતા અનુંભવુ છુ.

(રાગઃ ગણપતી આવ્યા શુદ્ધ બુદ્ધ લાવ્યા...............)

નવમીને દિન નવો અનુભવ આત્મારામ દર્શાયા ગુરૂ આત્મારામ દર્શાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

યોગી રામરસ પાયા ઘટઘટમાં શ્યામ દિખાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

દાનવવૃત્તિ દૂર કરાવી મનુશા દેવ કહલાયા ગુરૂ મનુશા દેવ કહલાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

લોહ હ્રદયમાં પારસ રૂપે કંચન શુદ્ધ બનાયા ગુરૂ કંચન શુદ્ધ બનાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

ગુરૂગમ ચાવી ખોલ્યાં અગમઘર દિલમાં દર્શન પાયા ગુરૂ દિલમાં દર્શન પાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

કીડી કુંજર ઘાટ બન્યા સૌ આતમ એક મનાયા ગુરૂ આતમ એક મનાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

પશુ પક્ષી સૌ જીવ જંતુમાં વ્યાપક દેવ દર્શાયા ગુરૂ વ્યાપક દેવ દર્શાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા

ચુંથાભાઇ ભ્રમણા ત્યાગી અલખ પુરૂષ ઓળખાયા ગુરૂ પુરૂષ ઓળખાયા કોઇ અદ્‌ભુત યોગી આવ્યા




શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ, જિંડવા