જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Thursday, May 2, 2024

મનજી માયાના ઘડનારા

(રાગ: શ્રીજી બાવા તે નાથ હમારા..........)

મનજી માયાના ઘડનારા........તારા દિશે મલકના ચાળા...

સુના સુના મંદિરમાં મહાલે.....હોય ઊંચા તે વિચાર પાડે રે.......મનજી માયાના ઘડનારા........

તને વહાલી અવિદ્યા રાણી.....તેથી કામ થયું ધૂળધાણી રે.......મનજી માયાના ઘડનારા........

તને સંત ઘણું સમજાવે.....તને રામ રામકડે રીઝાવે રે.......મનજી માયાના ઘડનારા........

તમે મૂળ સ્વરૂપે શિવ જેવા....તમે સમજો અખંડ સુખ લેવા રે.......મનજી માયાના ઘડનારા........

તમે ચૈતન્ય સાગરનું મોજું.....ચુંથારામ સરવૈયે નહીં બીજું રે.......મનજી માયાના ઘડનારા........

No comments: