જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Saturday, May 4, 2024

ત્રણ ગુણ ને ચાર ધામ

 (રાગ: શામળિયાની સાથે રે.....સુરતા તો લહેરો લે છે.)

            ત્રણ ગુણ ને ચાર ધામ;

પાંચમો મોરાળી રે......કંઠમાં કોણ કોણ બોલે...

            પાંચ પ્રાણ ઉપપ્રાણ;

દસની રખવારી રે......કંઠમાં કોણ કોણ બોલે....

            તત્વોના થાંભલા;

બંગલાની શોભા સારી રે......કંઠમાં કોણ કોણ બોલે....

            ચૌદ માળે ઉજળી;

હવાની દસ બારી રે......કંઠમાં કોણ કોણ બોલે....

            મૂળ બાંધે નાગણી;

અમૃત પી જનારી રે......કંઠમાં કોણ કોણ બોલે....

            સ્થૂળ, સુક્ષ્મ, કારણથી;

જુદો તું ગિરિધારી રે......કંઠમાં કોણ કોણ બોલે....

            તું હલાવે, તું ચલાવે;

ચુંથારામ ધીરધારી રે......કંઠમાં કોણ કોણ બોલે....

No comments: