જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Friday, May 3, 2024

કાવા-દાવા છોડો જગમાં

(રાગ: ચતુરાઈ નવલા વેવાઈ)

કાવા-દાવા છોડો જગમાં....મોહના બંધન તોડો મનજી....એ ચતુરાઈની રીતો.

પરસ્ત્રી સામે ન હસીએ જગમાં....સંતો સામે ધસીયે મનજી....એ ચતુરાઈની રીતો.

ખૂણે ખત ના લખીએ જગમાં....વહેવારે વટ રહીએ મનજી....એ ચતુરાઈની રીતો.

ગૌ બ્રહ્માણને ગાળ ના દીજીએ....વ્હાલાંમાં વેર ના કીજીએ મનજી....એ ચતુરાઈની રીતો.

ઘર કુટુંબના કજિયા માટે....સરકારે ના જઈએ મનજી....એ ચતુરાઈની રીતો.

પેસો પ્રભુએ આપ્યો હોયતો ચુંથા પરહિત તાકો મનજી....એ ચતુરાઈની રીતો. 

No comments: