Know ThySelf is a way to share our spiritual thoughts. To know oneself is neither easy nor difficult. The only thing is to think with the true sight. Devotional Songs; AMRUTBINDU ("અમૃતબિંદુ") & SHABD-SMRUTI ("શબ્દ-સ્મૃતિ") lead us to the unexplored region of sacred emotions where we can realize ourselves. Its the only way to experience oneself, of course the "real Experience" which should only be the GOAL of our life.....
જય પ્રભુ
Tuesday, June 15, 2010
ગુરૂગીતા 1
ગુરૂગીતા
પરમતત્વ પરમાકાશ - કૈવલ્ય - જો હૈ સો હૈ
કેવળ સ્વયં મહાચિદાકાશ સંપૂર્ણ પ્રકાશ
ભગવાન શંકર જગદંબા પાર્વતી ચૈતન્ય સંવાદ
ગુરૂગીતા
સ્વયં પૂર્ણબ્રહ્મ જ છે જુદું બીજું કંઇ જ નથી
સ્વયં પૂર્ણસ્વરૂપ પૂર્ણબ્રહ્મ સ્વયંસિધ્ધ જ છે
સ્વાત્મા અનંત સચ્ચિદાનંદબ્રહ્મગુરૂ સર્વત્ર સમાન ભરપૂર છે
સ્વયં મહાચિદાકાશ અનંત એક રસ જ છે
સ્વયં સચ્ચિદાનંદબ્રહ્મ અનંત એકરસ જ છે
આપણે ન પકડીએ તો કોઇ પકડાવે નહી; આપણે ન છોડીએ તો કોઇ છોડાવેય નહી
આત્મા જ શિષ્ય, આત્મા જ ગુરૂ, આત્મા જ પરમાત્મા
પોતે પકડે છે એ શિષ્ય, પોતે છોડે છે એ ગુરૂ, પોતે કેવળ પોતે છે એ પરમાત્મા
જો હૈ સો હૈ
Tuesday, March 23, 2010
રામનવમી
ભારતીય સંસ્કૃતિ અનુંસાર રામનવમીને દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. 'રામનામ' અદભુત સંજીવની છે, અમોઘ શસ્ત્ર છે, મહાન શક્તિ છે. માત્ર એકજ વખત 'રામ' બોલાઇ જવાય તો પણ અધમનો ઉદ્ધાર થઈ જાય છે. 'રામ' ને બદલે 'મરા...મરા...' બોલનારો વાલિયો લૂંટારો મહાન કવિ અને રામાયણનો રચયિતા મહર્ષિ વાલ્મીકિ બની ગયો ! સપ્તર્ષિઓએ આ રત્નાકર (વાલિયો લૂંટારા) ને 'રામનામ' નો મહિમા સમજાવ્યો અને ઉપદેશ આપ્યો કે તું રામનામનો જપ કર. તેના હ્રદયમાં રામનામની લગની લાગી ગઈ. તેના રોમ રોમમાંથી 'મરા...મરા...' નો જપ થઈ રહ્યો હતો. તેના શરીર પર માટાના રાફડા બંધાયા. સંસ્કૃતમાં રાફડાને 'વાલ્મીક' કહે છે, તેથી તેમનું નામ વાલ્મીકિ પડ્યું.
ભક્ત શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલને સદ્ગુરૂશ્રી ભલારામ મહારાજ દ્વારા ચૈત્ર સુદ નોમના રોજ રામનવમીને દિવસે પોતાના આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર કરાવતો ઉપદેશ આપ્યો હતો. શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલે પોતાના આ અનુંભવોને ભજનના સ્વરૂપમાં રજૂ કરેલ છે જે અત્રે પ્રસ્તુત કરતા ગર્વની લાગણી સાથે ધન્યતા અનુંભવુ છુ.
(રાગઃ ગણપતી આવ્યા શુદ્ધ બુદ્ધ લાવ્યા...............)
નવમીને દિન નવો અનુભવ આત્મારામ દર્શાયા ગુરૂ આત્મારામ દર્શાયા કોઇ અદ્ભુત યોગી આવ્યા
યોગી રામરસ પાયા ઘટઘટમાં શ્યામ દિખાયા કોઇ અદ્ભુત યોગી આવ્યા
દાનવવૃત્તિ દૂર કરાવી મનુશા દેવ કહલાયા ગુરૂ મનુશા દેવ કહલાયા કોઇ અદ્ભુત યોગી આવ્યા
લોહ હ્રદયમાં પારસ રૂપે કંચન શુદ્ધ બનાયા ગુરૂ કંચન શુદ્ધ બનાયા કોઇ અદ્ભુત યોગી આવ્યા
ગુરૂગમ ચાવી ખોલ્યાં અગમઘર દિલમાં દર્શન પાયા ગુરૂ દિલમાં દર્શન પાયા કોઇ અદ્ભુત યોગી આવ્યા
કીડી કુંજર ઘાટ બન્યા સૌ આતમ એક મનાયા ગુરૂ આતમ એક મનાયા કોઇ અદ્ભુત યોગી આવ્યા
પશુ પક્ષી સૌ જીવ જંતુમાં વ્યાપક દેવ દર્શાયા ગુરૂ વ્યાપક દેવ દર્શાયા કોઇ અદ્ભુત યોગી આવ્યા
ચુંથાભાઇ ભ્રમણા ત્યાગી અલખ પુરૂષ ઓળખાયા ગુરૂ પુરૂષ ઓળખાયા કોઇ અદ્ભુત યોગી આવ્યા
શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ, જિંડવા
ભક્ત શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલને સદ્ગુરૂશ્રી ભલારામ મહારાજ દ્વારા ચૈત્ર સુદ નોમના રોજ રામનવમીને દિવસે પોતાના આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર કરાવતો ઉપદેશ આપ્યો હતો. શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલે પોતાના આ અનુંભવોને ભજનના સ્વરૂપમાં રજૂ કરેલ છે જે અત્રે પ્રસ્તુત કરતા ગર્વની લાગણી સાથે ધન્યતા અનુંભવુ છુ.
(રાગઃ ગણપતી આવ્યા શુદ્ધ બુદ્ધ લાવ્યા...............)
નવમીને દિન નવો અનુભવ આત્મારામ દર્શાયા ગુરૂ આત્મારામ દર્શાયા કોઇ અદ્ભુત યોગી આવ્યા
યોગી રામરસ પાયા ઘટઘટમાં શ્યામ દિખાયા કોઇ અદ્ભુત યોગી આવ્યા
દાનવવૃત્તિ દૂર કરાવી મનુશા દેવ કહલાયા ગુરૂ મનુશા દેવ કહલાયા કોઇ અદ્ભુત યોગી આવ્યા
લોહ હ્રદયમાં પારસ રૂપે કંચન શુદ્ધ બનાયા ગુરૂ કંચન શુદ્ધ બનાયા કોઇ અદ્ભુત યોગી આવ્યા
ગુરૂગમ ચાવી ખોલ્યાં અગમઘર દિલમાં દર્શન પાયા ગુરૂ દિલમાં દર્શન પાયા કોઇ અદ્ભુત યોગી આવ્યા
કીડી કુંજર ઘાટ બન્યા સૌ આતમ એક મનાયા ગુરૂ આતમ એક મનાયા કોઇ અદ્ભુત યોગી આવ્યા
પશુ પક્ષી સૌ જીવ જંતુમાં વ્યાપક દેવ દર્શાયા ગુરૂ વ્યાપક દેવ દર્શાયા કોઇ અદ્ભુત યોગી આવ્યા
ચુંથાભાઇ ભ્રમણા ત્યાગી અલખ પુરૂષ ઓળખાયા ગુરૂ પુરૂષ ઓળખાયા કોઇ અદ્ભુત યોગી આવ્યા
શ્રી ચુંથાભાઇ જીજીદાસ પટેલ, જિંડવા
Subscribe to:
Posts (Atom)