જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Sunday, May 5, 2024

વચન વિચારીને બોલીએ

 (રાગ: વીરા વસ્તુ વિચારીને વહોરીએ)

                વીરા...વચન વિચારીને બોલીએ

જેથી, અંતરમાં થાય પ્રકાશ....સત્યની રીતે ચાલીએ

                સદાચારે સાચી નીતિ વહોરીએ

કોઈનું કરીએ નહીં અપમાન....વિચારીને બોલીએ

                સર્વે જીવોમાં આત્મા નીરખીએ

આખા જગમાં સૌ આપણા જેવા......વિચારીને બોલીએ

                કુળ કુટુંબમાં ઝગડો ના કીજીએ

આપણ ચાર ઘડીના મહેમાન......વિચારીને બોલીએ 

                વાણી જેવું વર્તન કરી જાણીએ

ચુંથારામ સત્ય ધર્મ નીતિ ધારી......વિચારીને બોલીએ 

No comments: