જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Wednesday, April 24, 2024

એક અમરા તે પુરનો હંસલો આવ્યો જગપુરમાં....

(રાગ: શેરી વળાવી સજ કરાવું ઘેર આવો ને...)

એક અમરા તે પુરનો હંસલો આવ્યો જગપુરમાં....

એને લાગી જગતની લહેરો, હંસો આવ્યો જગપુરમાં.

એને માનવનાં પુદગલ પહેરીયાં, આવ્યો જગપુરમાં...

એણે પીધેલાં દુન્યવી દૂધ, હંસો આવ્યો જગપુરમાં.

એણે કુટુંબમાં મમતા ધરી, આવ્યો જગપુરમાં......

એણે વિસાર્યા અમરલોક, હંસો આવ્યો જગપુરમાં.

એને પાંચ વિષયોએ ઘેરીયો, આવ્યો જગપુરમાં....

પછી બન્યો આશાનો દાસ, હંસો આવ્યો જગપુરમાં.

એણે કર્મોનાં બાંધ્યાં પોટલાં, આવ્યો જગપુરમાં......

પછી, ફર્યો ચોરાસીના ફેર, હંસો આવ્યો જગપુરમાં.

હરિ, ગુરુ સંત જો કૃપા કરે, આવ્યો જગપુરમાં......

ચુંથારામ શરણે પડે સુખ થાય, હંસો આવ્યો જગપુરમાં.

No comments: