જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Saturday, April 13, 2024

ચૈતન્ય ચિંતન કરશું...

 (રાગ: ઘડપણમાં ગોવિંદ ગાશું......)

ચૈતન્ય ચિંતન કરશું ગુરુજી અમે ચૈતન્ય ચિંતન કરશું.

અમે આત્મ-વિજ્ઞાન દીવો ધરશું...ગુરુજી અમે ચૈતન્ય ચિંતન કરશું.

અમે આત્મ સ્વરૂપમાં રમશું - અમે અખંડ આનંદમાં ફરશું.

અમે નિજમાં નિજ અનુસરશું....ગુરુજી અમે ચૈતન્ય ચિંતન કરશું.

અમે નિરાવરણ પ્રકાશશું  - અમે સુત્રાત્મા સર્વમાં વ્યાપશું

અમે અદ્વૈત સાક્ષીરૂપ ઠરશું...ગુરુજી અમે ચૈતન્ય ચિંતન કરશું.

અમે બ્રહ્મ ભાવે સ્વચ્છ બની રહીશું - અમે નિરાકારે નિર્મળ રહીશું

ચુંથારામ શાંતિ: શાંતિ: અનુભવશું...ગુરુજી અમે ચૈતન્ય ચિંતન કરશું. 

No comments: