જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Friday, April 26, 2024

વાતાવરણની અસર

(રાગ: કર્યા કર્મોના અંત સમય લેખાં લેવાશે જીવાભાઈ)

જ્યાં ત્યાં વાતાવરણની જબરી અસર શિરે થાય;

ઘરના જંજારી વાતાવરણમાં ચિત્ત ચાહય;

વિક્ષેપ થવાના પ્રસંગો નિત્ય નવા થાય;

રજો ગુણની રજથી ચેતન ઢંકાઈ જાય;

તમો ગુણના ઘોર અંધારા પડે ચિત્ત માંય;

આત્મ જ્ઞાનની વાર્તા ગમે નહીં કાંય;

સત્વ ગુણી સંતોની જો સંગતમાં રહેવાય;

ચુંથારામને તો દૈવીય આનંદ મળી જાય; 

No comments: