જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Saturday, April 13, 2024

હું તો અસંગ નિર્લેપ છું રે....

(રાગ: દ્વારિકાથી પ્રભુ આવિયા રે....) 

હું તો અસંગ નિર્લેપ છું રે....

સચ્ચિદાનંદ મારું રૂપ મારા વા'લા...હું અવિનાશી નિત્ય શુદ્ધ છું રે..

નિરાકાર રૂપે નિત્ય મુક્ત છું રે....

પૂર્ણાનંદે પરિધાન મારા વા'લા........હું અવિનાશી નિત્ય શુદ્ધ છું રે..

હું અચ્યુત નિર્દોષ નિત્ય છું રે.....

ચૈતન્યરૂપ પરમાનંદ મારા વા'લા........હું અવિનાશી નિત્ય શુદ્ધ છું રે..

અખંડાનંદ આત્મ રૂપ છું રે.......

પ્રકૃતિથી પર શાંત રૂપ મારા વા'લા.......હું અવિનાશી નિત્ય શુદ્ધ છું રે..

મહતવાદી તત્વોથી પર રહ્યો રે....

જ્યોતિ સ્વરૂપ ચુંથારામ મારા વા'લા......હું અવિનાશી નિત્ય શુદ્ધ છું રે..


No comments: