જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Thursday, April 18, 2024

જે કોઈ ગુરુ રટણમાં રહેતા.....

 (રાગ: મારા મન ગમતા મહારાજ મારે ઘેર આવોને....)

જે કોઈ ગુરુ રટણમાં રહેતા, ભજન તેને પ્યારું લાગે...

કરે ગુરુ સ્મરણ બેઠા બેઠા, ભજન તેને પ્યારું લાગે....

એક આસને સ્થિર ઠરીને બેસે, નીંદ ના કરે જરી....

ગુરુ વચન પર વિશ્વાસ રાખે - જેને નામની નિશાની ખરી - ભજન તેને પ્યારું લાગે....

સમાગમ કરવા તલપી રહે ને કરે શબ્દનો વિવેક....

મેરુ ચળે પણ મન ના ચળે - જેની ટીંટોડા જેવી ટેક - ભજન તેને પ્યારું લાગે....

સંતગુરુને સન્માન કરે, પગે નમે લગાવી માથું....

નમ્યો તે તો સર્વ ને ગમ્યો - તેણે છેવટનું લીધું ભાથું - ભજન તેને પ્યારું લાગે....

ઘરકામ પરવારી, ઝટ કરી ને ભજનમાં આવે વહેલા....

રામ તણો રસ હૃદયમાં ઠરે - પછી બને છે ગાંડા ને ઘેલા - ભજન તેને પ્યારું લાગે....

સહજ સમાધિ જાગ્રતમાં કરે, ને આંખોમાં ઊંઘ ના આવે....

દુરીજન વાતો બીજી કરે - પણ શાણાને તેવું ના ફાવે - ભજન તેને પ્યારું લાગે....

ચુંથારામ ગરજવંત થઇને જાવો ગુરુજીના શરણે....

પ્રેમી પુરુષનું પારખું - જેના સ્નેહ ભરેલ નેણ - ભજન તેને પ્યારું લાગે....

1 comment:

Anonymous said...

Nice Bhajan...गुरु कृपा ही केवलम शिष्यस्य परम मंगलम🙏