જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Monday, April 15, 2024

સદગુરુને મન કર્મ વચને શીશ નમાવે......

(રાગ: સદગુરુજીને મળિયા, તેમના સંશય ટળીયા ....)

સદગુરુને મન, કર્મ, વચને શીશ નમાવે તેનાં....
જન્મ મરણ ભય ભાગે હો....જીવો રામ ભાગે...

ચારધામ ને અડસઠ તીરથ ઘેર ગંગા ફળ પાવે ગુરુજી....
નિર્ભયે નામ સુણાવે હો....જીવો રામ સુણાવે

શેષ સહસ્ત્ર મુખે પાર ન પાવે સૌ કોઈ....
અગમ અગમ કહી ચલાવે હો....જીવો રે રામ ચલાવે

કર્મ જાળમાં ગૂંચાયું સૌ બ્રહ્માદી દ્વંદ મચાવે જીવને....
ગુરુ વિના કોણ છોડાવે હો....જીવો રે રામ છોડાવે

હરિગુરુ સંતની સેવા રે શોધી નિજમાં નિજ મિલાવે ચુંથારામ....
ગુરુકૃપાએ મંગળ ગાવે હો....જીવો રે રામ ગાવે

No comments: