જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Friday, April 26, 2024

પાંચ પાંચ સ્થંભનો બંગલો

(રાગ:તમે ના આવો તો મારા સમ છે અંબે માં....)

એક પાંચ પાંચ સ્થંભનો બંગલો છે....

એમાં આત્મારામની પથારી મનજીભાઈ....છાનાં છાનાં દાવ તમે રમશો નહીં;

તારો બાવન બજારે ડંકો છે......

વાગે નવસો નવ્વાણું પોળ માંય મનજીભાઈ....છાનાં છાનાં દાવ તમે રમશો નહીં;

તમે ચાલો તો સુરતા ચાલે છે......

તમે સ્થંભો તો સુરતા થંભી જાય મનજીભાઈ....છાનાં છાનાં દાવ તમે રમશો નહીં;

તમે અક્કલ બુદ્ધિને બાંધી છે.....

તારા વિચાર તોરંગે સવાર મનજીભાઈ....છાનાં છાનાં દાવ તમે રમશો નહીં;

તમે સ્થિર થાઓ તો બહું સારું છે....

દાસ ચુંથારામને ધીરુ ધીરનાર મનજીભાઈ....છાનાં છાનાં દાવ તમે રમશો નહીં;

No comments: