જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Tuesday, April 23, 2024

વીરા પંચ વિષયમાં રચ્યા પચ્યા શીદને ફરો રે.

(રાગ: બેની નથી આપણા મોટા ઘરની રીતો......)

વીરા, પંચ વિષયમાં રચ્યા-પચ્યા શીદને ફરો રે. 

વીરા, નથી આપણા નિજ ધરમની રીતો, શરીરના ભાવે શીદને ફરો રે.

વીરા, આકૃતિમાં વિકૃતિ તો શીદને કરીએ રે.

વીરા, અંતરયામી ઘરમાં દેખણહારો, શરીરના ભાવે શીદને ફરો રે.

વીરા, નિત્ય-અનિત્ય વિવેક ધરી ચાલીયે રે.

વીરા, દેહદર્શીના દુઃખનો નથી પાર, શરીરના ભાવે શીદને ફરો રે.

વીરા, જ્યાં જુઓ ત્યાં અનામ નામે ઝળકી રહ્યો રે.

ચુંથારામ સુખનો સાગર સતચિત્ત આનંદ માંય, શરીરના ભાવે શીદને ફરો રે.

No comments: