જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Saturday, April 20, 2024

સ્મશાનીયો વૈરાગ

(રાગ: મને જડતો નથી મારો શ્યામ, શોધું શામળિયો)

આતો સ્મશાનીયો વૈરાગ કહેવાય, કોઈનું ચાલે નહીં;

પા કલાક અરરર થાય, કોઈનું ચાલે નહીં;

કથા સુણી સુણી ને કાન ફૂટ્યા;
પગે નમી-નમી ને કપાળ ફૂટ્યા;
વક્તા સમજાવે અમલ ના થાય, કોઈનું ચાલે નહીં;

ઘણો આચાર પાળું છું એવો ડોળ કરે;
હાંકે કુતરું, બિલાડું માંહી ચાટ્યા કરે;
એતો સગવડીયો ધરમ કહેવાય, કોઈનું ચાલે નહીં;

મોઢે બોલે માયા બધી જુઠી...જુઠી;
થૂંકેલું ગળે પાછો વહેલો ઊઠી
એવો હૈયાનો કઠોર કહેવાય, કોઈનું ચાલે નહીં;

સ્વામી સમજાવે ત્યારે હાજી...હાજી કહે;
શિર હાલે પણ વિચારો તો ઘરના રહે;
સાચો ચેલો લાડીનો કહેવાય, કોઈનું ચાલે નહીં;

જરૂર કરતાં વસ્તુ વધુ ભેગી કરે;
દીન જનો રજળતા ભૂખે મારે;
એ તો બગલો ભગત કહેવાય, કોઈનું ચાલે નહીં;

નારી આંખ બતાવે કે હાજર રહે;
તેની પાસે બળદ નાથ વિનાનો બને;
નારી નચાવે એમ નચાય, કોઈનું ચાલે નહીં;

સાચા વૈરાગવાળા સંતો પહેલા થયા;
સાદા સીધા ગયા જેના નામો રહ્યા;
ચુંથારામ દ્રશ્ય દેખીને હરખાય, કોઈનું ચાલે નહીં;

No comments: