જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Monday, April 29, 2024

દુનિયા દેવ તણો દરબાર

(રાગ: અરે જીવ શું કરવા આથડે, પ્રભુની ગમ ગુરુ વિના નહીં પડે)

દુનિયા દેવ તણો દરબાર, મનવા માની લે નિર્ધાર જી

મારું તારું જુઠી કલ્પના, શિર પર સર્જનહાર જી

જ્યાં જુઓ ત્યાં આપ સરીખો, બીજો નહીં બોલનહાર - મનવા માની લે.......... 

હું કરું, આ મેં કર્યું સૌ ખોટી તાણાતાણ

પ્રાણ પવનને જે ચલાવે, સૌનો સર્જનહાર - મનવા માની લે.......... 

જગત નિયંતા રાખે નિયમમાં ત્રિલોકનો રચનાર

ચુંથારામ કહે યંત્ર નો યંત્રી જોઈ રહ્યો કિરતાર મનવા માની લે.......... 

No comments: