જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Monday, April 22, 2024

જેણે સદગુરૂ સંતને સેવ્યા રે....

(રાગ: સંતો ભક્તિ શ્રવણ પહેલી સાધો રે...)

જેણે સદગુરૂ સંતને સેવ્યા રે, એને મળિયા અમૃત રસના મેવા રે;

અમૃત પીતા તૃષ્ણા સમાય રે, તેને ક્ષુધા મટી સુખ થાય રે;

વાલો મારો છે બૂડતાનો બેલી રે, શ્રદ્ધા વાળાને નહીં મુકે ઠેલી રે;

સાંકળ શ્રદ્ધાની પકડો પહેલી રે, વીરા ત્યાં વરસે આનંદની હેલી રે;

મોતીડાં તો હંસાનો ચારો રે, બગલો ડોળે કાદવને ગાળો રે;

ચુંથારામ આવ્યો તે અવસર સુધારો રે, ફરી નહીં મળે માનવ અવતારો રે;


No comments: