જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Thursday, April 25, 2024

સંસાર સમુદ્રમાં પાકતાં સતધર્મના મોતી

(રાગ: નંદનો કુંવર હજુના આવીયા)

સંસાર સમુદ્રમાં પાકતાં, સતધર્મના મોતી.....

દ્રશ્ય-અદ્રશ્યમાં નીરખતાં, દિસે ઝગમગ જ્યોતિ.....

ખારા સાગરમાં.......ઊંડા ભીતરમાં........

નિર્વાસના એ રહ્યાં ઝુકી, સતધર્મના મોતી.....

ગગનગુફામાં પરવરતાં, સતધર્મના મોતી.....

ક્ષમા ખડગ લઇ......વિવેક કરવત લઇ........

શુક્ષમણામાં ભરી જતાં, સતધર્મના મોતી.....

સંત મુનીઓ.......તપસી, તાપસીઓ........

ચુંથારામ જગમાં સૌ નીપજતાં, સતધર્મના મોતી..... 

No comments: