જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Tuesday, April 16, 2024

નિજ સ્વરૂપ નીરખી રહો રે...

(રાગ: મંદિરમાં આંબો ને આંબલી રે...)

નિજ સ્વરૂપ નીરખી રહો રે...
સદગુરુગમની શાન રે હંસા રાજા......નિજ સ્વરૂપ નીરખી રહો રે...

નિજ પદનો રસ્તો છે પધારો રે....
સ્મરણ સીડીની શાન રે હંસા રાજા......નિજ સ્વરૂપ નીરખી રહો રે...

સ્મરણ વિના સુરતા આંધળી રે.....
ક્યાં જઈને ઠહેરાય રે હંસા રાજા......નિજ સ્વરૂપ નીરખી રહો રે...

સુરતા તો એવી ચાંચવી રે.....
પલ પલ પલટાઈ જાય રે હંસા રાજા......નિજ સ્વરૂપ નીરખી રહો રે...

મનડુ છે એવું મરકટ સમું રે.....
જ્યાં ત્યાં કુદકા ખાવા જાય રે હંસા રાજા......નિજ સ્વરૂપ નીરખી રહો રે...

દાસ ચુંથારામ બોલીયા રે......
ગુરુગમની વાતો તો ન્યારી રે હંસા રાજા......નિજ સ્વરૂપ નીરખી રહો રે...

No comments: