જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Sunday, April 14, 2024

ગુરુજીને પત્ર (અક્ષરોના સ્વામી)

 (રાગ: પ્રેમનો પુજારી .....)

અક્ષરોના સ્વામી (૨) સદગુરૂ પ્રેમે લાગુ પાય રે....
મુક્તિના દેનાર ગુરુજી મુક્તિના દેનાર રે....

દર્શનનો છું પ્યાસી (૨), જીવડો આકુલ વ્યાકુળ થાય રે 
મુક્તિના દેનાર ગુરુજી મુક્તિના દેનાર રે....

નિજ નામની શાન બતાવી, પ્રકાશ જ્યોતિ જગાવી
જડ ચેતન, સ્થાવર જંગમમાં અદ્વૈત દિયો દર્શાવી
છો ભવના તારણહાર રે.... મુક્તિના દેનાર ગુરુજી....

ભાઈલાલ ગંગારામ નામની પલપલ જાવું બલિહારી
સંત શિરોમણી બબાભાઈ ને સોમાભાઈ શુભ જ્ઞાની
છે મોહનભાઈ મરજાદ રે....મુક્તિના દેનાર ગુરુજી....

જીંડવા ગામે સંત ચરણરજ ચૂંથાભાઈ લખે છે
જય જય ગુરુમહારાજ અખંડ બ્રહ્મ કથતાં આનંદ વહે છે
છે નરસિંહભાઈ પણ પાસ રે....મુક્તિના દેનાર ગુરુજી.....

પધારવાને માટે ગુરુજી ક્યારે કરુણા કરશો
નિજ જનના ઘર પાવન કરવા પુનિત પગલાં ભરશો
અંતરમાં મોટી આશ રે...મુક્તિના દેનાર ગુરુજી....

પત્ર આપનો નયને નીરખી હૈયે હરખ ન માતો
શબ્દે-શબ્દ અમીરસ પરખી વેદનો ભેદ સમાતો
છો તુર્યાતિત અવિનાશ રે ....મુક્તિના દેનાર ગુરુજી....

હું-તું ના આ ઝગડા સૌ છોડી સહજ સમાધી લાગી
સુરતા નિજ સ્વામી સંગ જોડી ભેદ ભ્રમણા ભાગી
પ્રભુ દીસો પરાત્પર પાર્થ રે...મુક્તિના દેનાર ગુરુજી....

અમરાઈ સ્થળની અમર વાડી અમર હંસો વસતા
અમદાવાદી જય ગુરૂગાદી બકરાને સિંહ કરતા
છે ચુંથારામ ચરણનો દાસ રે.....મુક્તિના દેનાર ગુરુજી ....

No comments: