જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Wednesday, April 24, 2024

જાણ્યો જગતપતિ ન્યારો.....

(રાગ: તારો ભરોસો મને ભરી... ગોવર્ધન ગિરિધારી...)

મેં તો જાણ્યો જગતપતિ ન્યારો... સંતોને ગણો પ્યારો... અમલમાં અવિકારી

નામ નિરંજન નયનોમાં નીરખ્યો... પ્રેમપુરીમાં પ્રગટ પારખ્યો....,

અંગે-અંગમાં ખુમારી.... આનંદની બલિહારી.... અમલમાં અવિકારી

નવસે નવ્વાણું વહેતી નાડી.... બોતેર કોઠા પંદરમી બારી....,

ગુરુગમથી બારી ખોલી.... આનંદે રહ્યો ડોલી.... અમલમાં અવિકારી

સ્વ સ્વરૂપે અનુભવ મળીયો.... નિર્વાણ પદમાં સત્ય ઉચ્ચરીયો....

ચુંથારામ નિજ અભ્યાસે.... અંતર પૂરો ઉલ્લાસ.... અમલમાં અવિકારી


No comments: