જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Wednesday, April 24, 2024

હૈડાં શીતળ થાય મારા વાલા...

(રાગ: હું રે નાનકડી ને હરિવર મોટા..... )

હૈડાં શીતળ થાય મારા વાલા, સંતોની સંગતીમાં રહી ને રે....

સંગતીમાં રહીએ, આશીર્વાદ લઈએ.....

હેતે હરિ રસ પીજીએ રે.....હૈડાં શીતળ થાય મારા વાલા

નયનો સુધારીએ ને શ્રાવણ સુધારીએ...

વાણીને વશ કરી લીજીએ રે.... હૈડાં શીતળ થાય મારા વાલા

મનના તોરંગડાને સત્ય ખીલે બાંધીએ....

લોભ, ક્રોધ, મોહથી બીજીએ રે.... હૈડાં શીતળ થાય મારા વાલા

ત્રિગુણી માયાથી ચેતતા રે રહીએ....

ચુંથારામ ગુરુના ગુણ ગાઈએ રે...હૈડાં શીતળ થાય મારા વાલા

No comments: