જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Thursday, April 18, 2024

વાગ્યાં વચન ગુરુજીના બાણ....

 (રાગ: વા'લા વનમાં કેમ લાગી વાર...)

વાગ્યાં વચન ગુરુજીના બાણ - ભલે જાય પ્રાણ - રૂઝાયાં રુઝે નહીં 

એવું સ્મરણ આઠે પહોર કીજીએ....

થાય જ્ઞાન દીપક પ્રકાશ - છૂટે સર્વે આશ - રૂઝાયાં રુઝે નહીં 

એવો ખટકો લાગ્યો મારા ચિત્તમાં.....

છોડું નહીં એક પલવાર - છૂટે જમ માર - રૂઝાયાં રુઝે નહીં 

એવું શાંતિનું સાધન સાધતાં ......

લક્ષ ચોર્યાસી મિથ્યા થાય - બંધન છૂટી જાય - રૂઝાયાં રુઝે નહીં 

એ અવિચલ નામ જે આપનું....

તેમાં વિકાર નહીં કેશ માત્ર - ઢીલાં પડ્યાં ગાત્ર - રૂઝાયાં રુઝે નહીં 

દાસ ચુંથારામ આપનો જાણી ને.....

પ્રેમ કરી લેજો તમ સાથ - કરો ગુના માફ - રૂઝાયાં રુઝે નહીં 

No comments: