(રાગ: જમવા પધારો ભગવાન રે મારી પ્રેમ પ્રસાદી)
શાને કરો તાણાતાણ રે નથી રહેવાનું કોઈને
પ્રણવથી સુધારો પ્રાણ રે........નથી રહેવાનું કોઈને
ચડતી-પડતી કેરો અસ્ત ઉદય છે
ચિંતાની બાળીદયો ખાણ રે .......નથી રહેવાનું કોઈને
તન મન ધનથી પરમારથ સાધો
ભલપણની વહેંચીદયો લ્હાણ રે.......નથી રહેવાનું કોઈને
ભવજળ સાગરે નામની નૈયા
ધર્મ નીતિ સત્ય જાણ રે .......નથી રહેવાનું કોઈને
તુજમાં ચૈતન્ય પરમેશ્વર પોતે
ચુંથારામ એ ગુરુનાં એંધાણ રે .......નથી રહેવાનું કોઈને
No comments:
Post a Comment