જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Friday, January 24, 2025

શાને કરો તાણાતાણ

(રાગ: જમવા પધારો ભગવાન રે મારી પ્રેમ પ્રસાદી)

શાને કરો તાણાતાણ રે નથી રહેવાનું કોઈને

પ્રણવથી સુધારો પ્રાણ રે........નથી રહેવાનું કોઈને 

ચડતી-પડતી કેરો અસ્ત ઉદય છે

ચિંતાની બાળીદયો ખાણ રે .......નથી રહેવાનું કોઈને

તન મન ધનથી પરમારથ સાધો

ભલપણની વહેંચીદયો લ્હાણ રે.......નથી રહેવાનું કોઈને

ભવજળ સાગરે નામની નૈયા

ધર્મ નીતિ સત્ય જાણ રે .......નથી રહેવાનું કોઈને

તુજમાં ચૈતન્ય પરમેશ્વર પોતે 

ચુંથારામ એ ગુરુનાં એંધાણ રે .......નથી રહેવાનું કોઈને

No comments: