(રાગ: મધ બેઠાં રે આંબલીયાની ડાળ.......)
જાગો જાગો રે તમે ભોળા મુસાફિર કે આળસ મરડીને કેમ સુઈ રહ્યા
દિન ચડીયો રે તોય તારી ઊંઘ ના ઊડી કે પરદેશે આવી પડી રહ્યો
તારા સાથીડા પહોંચ્યા પોતાને ધામ કે મૃગજળ દેખીને તું મોહી રહ્યો
પરલોકે જઈ શો જવાબ દેવાશે કે પરભવ મળેલી મૂડી ખોઈ રહ્યો
મારું માની બેઠો એમાં કાંઈ નથી તારું કે પાપના બાચકા બાંધી રહ્યો
માયા જાળની અંધ પછેડી ઓઢીને કે પંચ વિષયોથી ફસાઈ રહ્યો
સ્મરણ કરીલ્યો રે સ્મરણ કરીલ્યો પ્રભુનું કે ચુંથારામ મોહનિંદ્રા ત્યાગજો
No comments:
Post a Comment