જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Monday, January 13, 2025

નરતન નગરીમાં કૌતુક થાય

(રાગ: એકવાર બોલો મારી મરનારસી)

નરતન નગરીમાં કૌતુક થાય - ચાર-પાંચ ફેરિયા લુંટી ખાય 

નવ દરવાજે વેપાર થાય - કાળા બજારનો માલ વેચાય 

બોત્તેર દેશનો અવળો ન્યાય - તેથી નગરના લોક પીડાય 

પચ્ચીસ પોલીસ જેમ તેમ અથડાય - પકડી લે તો ઝગડો ઓલવાય

નવસે નવ્વાણું નદી ફેલાય - તોય બળતરા ના ઓલવાય 

માયા તૃષ્ણાથી માર સૌ ખાય - સમજુને સૌ સમજાય 

જો સમજે તો સુખિયા થાય - ચુંથા હરિના ગુણલા ગાય 

No comments: