(રાગ: હંસા નેણ ઠરે ને નાભી હસે)
સંત શબ્દની નાભી છે દેહમાં
જ્ઞાન નાભી સુરતમાં સમય રે સમાગમ સંતનો
સંતો દૈવી ગુણોથી દેવો સમા
આહાર વિહાર નિયમે વરતાય રે સમાગમ સંતનો
સંતો અક્ષરાતીતને અનુભવે
શાંત બની રહે શૂન્યકાળ રે સમાગમ સંતનો
જગમાં જળકમળવ્રત રચતા
ભ્રાંતિ ટાળી રહે તદાકાળ રે સમાગમ સંતનો
આઠે પહોરે ખુમારી અંગે રહે
ચુંથારામ જેથી મન સ્થિર થાય રે સમાગમ સંતનો
No comments:
Post a Comment