જય પ્રભુ

અમાપ સચ્ચિદાનંદઘન પરમાકાશ જ છે - સચ્ચિદાનંદ પૂર્ણબ્રહ્મ એકરસ છે - જો હૈ સો હૈ .... केवल स्वयं अनंतपूर्ण महाचिदाकाश है| ||जय प्रभु|| ......તો ચાલો.... આપ સર્વને આ માનવનિર્મિત સત્યો (ભ્રમો) રહિત ચિદાકાશ માર્ગ પર પગરણ માંડવા ભાવભીનું આમંત્રણ છે........

Wednesday, January 15, 2025

મારા અંતર જ્યોતિ રામ

(રાગ: વિધિના લખીયા લેખ લલાટે ઠોકર......)

મારા અંતર જ્યોતિ રામ રઘુવીર જાગજો રે 

મુજને પોતાનો જાણીને દર્શન આપજો રે 

વિશ્વ સકળમાં રહ્યા છો માલી - તમ વિણ ઠામ ના દીસે ખાલી

વ્હાલા સેવકને દીન જાણી કરુણા ઉર લાવજો રે...મારા અંતર જ્યોતિ.... 

કામ ક્રોધ મદ લોભને કાઢી - નિર્મળ કરજો બુદ્ધિ અમારી 

જેથી ગાઈએ તમારા ગાન અતિ ઉમંગથી રે....મારા અંતર જ્યોતિ.....

જળમાં સ્થળમાં જડ-ચેતનમાં - સઘળે આપ બિરાજી રહ્યા છો

ચુંથારામ દાસ તણી આ અરજી ઉરમાં ધારજ્યો રે....મારા અંતર જ્યોતિ...

No comments: