(રાગ: વિધિના લખીયા લેખ લલાટે ઠોકર......)
મારા અંતર જ્યોતિ રામ રઘુવીર જાગજો રે
મુજને પોતાનો જાણીને દર્શન આપજો રે
વિશ્વ સકળમાં રહ્યા છો માલી - તમ વિણ ઠામ ના દીસે ખાલી
વ્હાલા સેવકને દીન જાણી કરુણા ઉર લાવજો રે...મારા અંતર જ્યોતિ....
કામ ક્રોધ મદ લોભને કાઢી - નિર્મળ કરજો બુદ્ધિ અમારી
જેથી ગાઈએ તમારા ગાન અતિ ઉમંગથી રે....મારા અંતર જ્યોતિ.....
જળમાં સ્થળમાં જડ-ચેતનમાં - સઘળે આપ બિરાજી રહ્યા છો
ચુંથારામ દાસ તણી આ અરજી ઉરમાં ધારજ્યો રે....મારા અંતર જ્યોતિ...
No comments:
Post a Comment